કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટ્યો, કહ્યું – કોંગ્રેસને મત ન આપો તો કહી નહીં, પણ આમને આપતા નહીં

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને બહરામપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, કોંગ્રેસ અને લેફ્ટની ચૂંટણી જીતવી જરુરી છે. જો કોંગ્રેસ અને લેફ્ટ ચૂંટણી ન જીતો તો ભારતની ધર્મનિરપેક્ષતાને નુકસાન થશે. જંગીપુર લોકસભા સીટ પર ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન ઉમેદવાર મુર્તુજા હુસૈનના સમર્થનમાં લાલગોલા ચૂંટણી સભામાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ટીએમસીને વોટ આપવાની જગ્યાએ ભાજપને વોટ આપવાનું વધારે સારુ. ટીએમસીને વોટ આપવાની તુલનામાં ભાજપને વોટ આપવાની વાત કરી છે. એટલા માટે ટીએમસીને નહીં ભાજપને નહીં, દરેક સમયે સુખ દુખનો ભરોસો બોકુલ હંમેશા આપની સાથે રહેશે. શરદી-ગરમી-વરસાદમાં બોકુલ આપનો વિશ્વાસ છે. એટલા માટે બોકુલને વોટ આપો.

આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જી અને અધીર રંજન ચૌધરી રાજકીય રીતે એકબીજાના પરસ્પર કટ્ટર વિરોધી માનવામાં આવે છે. અધીર રંજન ચૌધરી સતત મમતા બેનર્જી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર કોંગ્રેસ કાર્યકર્તાઓ પર સતત અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

અધીરના નિવેદન પર પાર્ટીએ શું કહ્યું?
અધીર રંજન ચૌધરીના કથિત નિવેદન જો કોંગ્રેસને નહીં તો ભાજપને વોટ આપજો પણ ટીએમસીને નહીં આ નિવેદન પર કોંગ્રેસ નેતા જયરામ રમેશનું કહેવું છે કે, મેં વીડિયો જોયો નથી અને મને નથી ખબર કે કયો વીડિયો છે. ક્યા સંદર્ભમાં તેમણે આ વાત કહી છે. પણ હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે, કોંગ્રેસ પાર્ટીનો એક જ ટાર્ગેટ છે કે, 2019માં ભાજપને જે સીટો મળી હતી, આ ચૂંટણીમાં તેમને તેનાથી ઓછી સીટો મળે.

Scroll to Top