મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજીદ રશીદી અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ સર્જ્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના સાજીદ રશીદીએ સોમનાથ મંદિર પરના હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી છે.
હુમલાથી મંદિરમાં ગેરરીતિ અટકાવવામાં આવીઃ સાજીદ રશીદી
મૌલાના સાજીદ રશીદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી, જેને અટકાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે હુમલો કરીને મંદિરમાં ખોટા કામ બંધ કરાવ્યા હતા. જણાવી દઈએ કે મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ છે.
હિન્દુ ધર્મમાં સોમનાથ મંદિરનું વિશેષ મહત્વ છે
સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારે આવેલું છે અને ભગવાન શિવનું આદરણીય મંદિર છે. તે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને દર વર્ષે લાખો ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે મંદિરની મુલાકાત લે છે. શાસ્ત્રો અનુસાર આ મંદિરમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના માત્ર દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.