COVID-19: વાયુ પ્રદૂષણને કારણે વધી જાય છે કોરોનાથી થતા મૃત્યુ, જાણો સંશોધન શું કહે છે
વર્ષ 2021 પછી, લોકોને લાગ્યું કે કોરોના વાયરસ ધીમે ધીમે તેમનો પીછો છોડી દેશે, પરંતુ તેનાથી વિપરીત કોવિડ -19 ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં લોકો આ વાયરસને કારણે મુર્ત્યુ પણ થઇ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે હવાના પ્રદૂષણને કારણે કોરોનાથી થતા મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. લગભગ નહિ, જણાવી દઈએ કે પાછલા દિવસોમાં અમેરિકાની ત્રણ હજારથી વધુ કાઉન્ટીઓ પર કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે.
હકીકતમાં, પાછલા દિવસોમાં ‘સાયન્સ એડવાન્સિસ’ માં પ્રકાશિત થયેલા અધ્યયનમાં તાજેતરમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુની અસર અને પીએમ 2.5 કણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાની તપાસ કરવામાં આવી છે. તેમાં સામે આવ્યું હતું કે જે લોકો લાંબા સમય સુધી પ્રદૂષક સૂક્ષ્મ કણોના સંપર્કમાં રહે છે, કોરોના વાયરસથી તેમના મૃત્યુની શક્યતા વધી જાય છે.
અમેરિકાની 3089 કાઉન્ટીઓમાં રહેનાર વસતી 98 ટકા લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે પ્રદૂષણના પરિબળોના કણો જેટલા લાંબા સમય સુધી સંપર્કમાં રહે છે, તે કોરોના વાયરસને કારણે મૃત્યુ દર વધારે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે લોકો હવામાં પ્રદૂષણ સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહે છે, તેમની પ્રતિરક્ષા પર પણ વિપરીત અસર પડે છે.
જયારે, આ અધ્યયનમાં પીએમ 2.5 કણો અને કોરોના દર્દીઓની મૃત્યુદર વચ્ચેની પદ્ધતિ સમજાવતી નથી. પરંતુ આ સંશોધન સાથે સંકળાયેલા હાર્વર્ડ યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકો માને છે કે આ કણોના લાંબા સમય સુધી સંપર્કમાં આવવાથી ફેફસામાં વધુ ‘એસીઈ -2 રીસેપ્ટર’ વધુ પેદા થઈ શકે છે અને કોરોના વાયરસ શરીરના કોષોમાં પ્રવેશ કરવામાં મદદ મળી શકે છે.
નોંધ: આ લેખ ‘સાયન્સ એડવાન્સિસ’ નામના સંશોધન પત્રિકામાં પ્રકાશિત થયેલા અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. લેખમાં શામેલ માહિતી અને તથ્યો તમારી જાગૃતિ અને માહિતી વધારવા માટે શેર કરવામાં આવ્યા છે.