Entertainment

46 વર્ષના અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન, જીમમાં કરી રહ્યા હતા વર્કઆઉટ

પ્રખ્યાત ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું શુક્રવારે 46 વર્ષની વયે અવસાન થયું હતું. સિદ્ધાંત વીરના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ જમીન પર પડી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતાને જીમમાં હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ડોક્ટરોએ સિદ્ધાંતને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી શકાયા નહીં. તાજેતરમાં જ લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવને પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, લગભગ 45 દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડ્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. તેમની પહેલા ‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ એક્ટર દિપેશ ભાનનું પણ વર્કઆઉટ દરમિયાન મૃત્યુ થયું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker