CBIએ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, મુખ્યમંત્રીએ SCમાંથી અરજી પાછી ખેંચી

નવી દિલ્હી: દિલ્હીના કથિત શરાબ નીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી છે.ધરપકડ પહેલા સીએમ કેજરીવાલને દિલ્હીના રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કર્યા હતાં.સુનાવણી દરમ્યાન સીબીઆઈએ કોર્ટમાંથી કેજરીવાલની રિમાન્ડ માગ કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે અમે કેજરીવાલને ધરપકડમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી આપવામાં આવે.

જો કે સીબીઆઈને માગને લઈને કેજરીવાલના વકીલે વિરોધ કર્યો, તેમણે કહ્યું કે, કોર્ટે કેજરીવાલની ધરપકડની મંજૂરી ન આપવી જોઈએ.આ કેસમા કોઈ મેરિટ નથી. એટલા માટે અમે કેજેરીવાલને અત્યાર સુધી ધરપકડ કરી નહોતી. કેજરીવાલના વિશેષ ન્યાયાધીશ અમિતાભ રાવત સમક્ષ હાજર કર્યા હતા. સીબીઆઈએ આમ આદમી પાર્ટીના નેતા સાથે મંગળવારે સાંજે તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી.

કેજરીવાલની ધરપકડ પર આમ આદમી પાર્ટીએ ભાજપ પર ટાર્ગેટ કર્યો હતો. આપે કહ્યું કે, આજે જ્યારે ભાજપને લાગ્યું રહ્યું છે કે દિલ્હીનો દીકરો કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી શકે છે. તો તેમને ફરીથી નકલી કેસમાં સીબીઆઈએ સીએમ કેજરીવાલને ધરપકડ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ભાજપના દરેક ષડયંત્રનો જવાબ આપવામાં આવશે. આખરે સત્યની જીત થશે.

Scroll to Top