હત્યારો પિતા: 14 વર્ષથી લકવાગ્રસ્ત હતો પુત્ર, ઢોર માર મારી કરી હત્યા

દિલ્હીના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ તેના 30 વર્ષના પુત્રને માર માર્યો છે જે 14 વર્ષથી લકવાગ્રસ્ત હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 9 જાન્યુઆરીએ બપોરે લગભગ 1.24 વાગ્યે, ભારત નગર વિસ્તારની પોલીસને માહિતી મળી કે 30 વર્ષના એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે ઘાયલ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે મૃતકનું નામ અજમેરી સિંહ છે.

જ્યારે પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી તો મૃતક અજમેરી સિંહની બહેન રેખાએ જણાવ્યું કે જ્યારે તે સવારે ઘરમાં દાખલ થઈ ત્યારે તેણે જોયું કે ભાઈ ઘાયલ અવસ્થામાં પથારી પર પડેલો હતો, તેથી તેણે તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

રેખાએ જણાવ્યું કે રાત્રે તેના પિતા દારૂના નશામાં ઘરમાં ઘૂસ્યા હતા અને નશાની હાલતમાં તેના ભાઈને લાકડી વડે માર માર્યો હતો. પિતાના મારથી ભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેણે જણાવ્યું કે તેના ભાઈ અજમેરી 14 વર્ષથી લકવો હતો. બહેન રેખાના નિવેદનના આધારે પોલીસે 302નો ગુનો નોંધીને હત્યારા પિતાની ધરપકડ કરી છે.

Scroll to Top