શુ તમે જાણો છો, કે KBC માં ₹5 કરોડ જીતનાર સુનિલ કુમાર હાલ શું કરે છે – જાણી ને તમે પણ સલામ કરશો

તમે જાણતા હસો કે કોણ બનેગા કરોડપતિ નું નેતુત્વ અમિતાભ બચ્ચન કરી રહ્યા છે જે ભારતીય ફિલ્મો ના અભિનેતા છે. કેબીસી એ એક એવો સો છે જે વ્યક્તિ થોડા સવાલો ના જવાબ આપી ને કરોડો રૂપિયા કમાઈ શકે છે. અત્યાર સુધી માં કરોડો રૂપિયા ઘણા વ્યક્તિ એ જીત્યા હશે.અને એમાં ઘણી મહિલાઓ પણ સામીલ હોય છે.

અને આજે એક એવા જ વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છે જેમને 2011 માં 5 કરોડ રૂપિયા જીત્યા હતા. અને હાલ માં એ એક એવું કામ કરી રહ્યા છે જેના વિશે જાણી ને તમને સલામ કરવાનું મન થશે. તો જાણીએ એમના વિસે.

તમે કદાચ એમને ઓળખતા પણ હસો કે જેમને કૌન બનેગા કરોડપતિની પાંચમી સીઝનમાં પાંચ કરોડ રૂપિયા જીત્યા હતા અને એમનું નામ સુશીલ કુમાર છે. અને સુશીલ કુમાર ને લોકો કેબીસીના વિનર તરીકે ઓળખે છે, પરંતુ હાલ તેઓ કંઈક એવું કામ કરી રહ્યા છે જે તમારૂં દિલ જીતી લેશે. તેમની કામગીરી વિશે જાણીને તેના પ્રત્યેની રિસ્પેક્ટ પણ વધી જશે.

તમે જાણતા હસો કે આપણા ભારત માં પર્યાવરણ ની ખૂબ અછત જોવા મળે છે અને પર્યાવરણ ની સુરક્ષા માટે ઘણા લોકો પોતાનું મોટું યોગદાન આપતા હોય છે અને આપના સુશીલ કુમાર પણ હાલ પર્યાવરણના મામલે જ કામ કરી રહ્યા છે. ગયા વર્ષે તેમણે એક અભિયાન હાથ ધર્યું હતું.ધ બેટર ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, સુશીલ કુમાર હાલ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણનું કામ કરી રહ્યા છે અને પર્યાવરણની જાળવણીમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે.તેઓ ઈચ્છે છે કે ભારત માં પહેલા ની જેમ ઘણા વૃક્ષો હોવા જોઈએ.

તમે કદાચ જાણતા નહિ હોય કે ઘણા રાજ્યો માં વૃક્ષો ખૂબ ની મોટી અછત જોવા મળે છે અને વૃક્ષો ન હોવા ને કારણે આપણું પર્યાવરણ ખૂબ મુશ્કેલી માં મુકાઈ રહ્યું છે સુશીલ કુમારે વૃક્ષા રોપણ નું આ અભિયાન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું. જ્યાં તેમણે 70 હજાર કરતાં પણ વધારે છોડ વાવ્યા હતા. એવું કહેવાય છે કે ચંપારણનું રિયલ નામ ચંપકારણ્ય છે.આ નામ એટલા માટે પડ્યું કે ત્યાં ચંપાના વૃક્ષ વધારે હતા. અને ત્યાં ઘણા અભયારણ્ય પણ છે.

સુશીલલ કુમારે પર્યાવરણ ને બચાવવા માટે ઘણા કાર્યક્રમો પણ કર્યા છે અને લોકો ને વૃક્ષો વાવવાનો સંદેશ પણ આપ્યો છે. એમને પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું ચંપારણનો રહેવાસી થું પરંતુ બે-ત્રણ વર્ષથી મેં અહીંયા ચંપાનું કોઈ ઝાડ જોયું નહોતું.

આ વાત મને આંખમાં કણાની ખૂંચતી હતી.એટલે મારા મનમાં વિચાર આવ્યો કે ચંપારણના સમગ્ર વિસ્તારને કેમ ન ફરીથી ચંપાના ઝાડથી હર્યુ-ભર્યું કરી દેવામાં આવે અને અહીં વૃક્ષો વાવી ને ચંપારણ નું નામ આગળ વધારીએ અને એમને એવું પણ કહ્યું છે અહીં થોડા જ વર્ષો માં ઘણા વૃક્ષો જોવા મળશે.

સુશીલ કુમારે આ અભિયાન વર્લ્ડ અર્થ ડેના દિવસ પર 22 એપ્રિલ 2018 થી શરૂ કર્યું હતું.અને અભિયાન પાછળ સુશીલ કુમાર ને ઘણા લોકો નો સહયોગ પણ મળ્યો હતો.

પહેલા સુશીલે ‘ચંપાથી ચંપારણ’નું અભિયાન હાથ ધર્યું. જેને સફળતા મળી. સુશીલ કુમારનું કહેવું છે કે આજે ચંપારણમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ચંપાનું ઝાડ ન હોય. જે બાદ તેમણે પીપળો અને વડના ઝાડ બચાવવાનું અભિયાન હાથ ધર્યું. જેને લોકો તરફથી પણ પૂરતો સહયોગ મળ્યો.અને આમ સુશીલ કુમારે આવા ઘણા અભિયાન અંતર્ગત લોકો નો વૃક્ષો નો મહત્વ પણ સમજાવ્યું છે. અને લોકો નો વૃક્ષો નું જતન કરવા કહ્યું છે.

હાલ માં સુશીલ કુમાર નું આ અભિયાન ખૂબ આગળ વધી રહ્યું છે અને એમની સાથે હાલ, આ અભિયાન માં ઘણા લોકો જોડાઈ ચૂક્યા છે. તેમની ટીમ અલગ-અલગ વિસ્તારોમાં કામ કરે છે અને વૃક્ષારોપણ કરે છે. બાદમાં તેને રજિસ્ટર્ડમાં પણ નોંધાવે છે.

વૃક્ષારોપણ કર્યા બાદ તેઓ દર મહિને છોડની સ્થિતિ વિશે નોંધ છે જેથી જાણ થાય કે તેમણે જે છોડ વાવ્યા છે તે સૂકાઈ તો નથી ગયા ને? અને જો તે સૂકાઈ ગયું હોય તો તેને ત્યાંથી ઉખાડીને પશુચારા માટે વાપરવામાં આવે છે અને તેની જગ્યાએ નવા છોડની રોપણી કરવામાં આવે છે. કેબીસીમાં 5 કરોડ જીતવાની સાથે-સાથે સુશીલ કુમારે લોકોના દિલ પણ જીતી લીધા છે અને એમને ભારત ના દરેક નાગરિક ને વૃક્ષો નું જતન કરવાનો સંદેશ પણ આપ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top