તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં: શું દયાબેનના રોલમાં જોવા મળશે નવો ચહેરો?

ટેલિવુડનો ફેમસ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી દર્શકોના દિલ પર રાજ કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઘણા પાત્રો બદલાયા છે. આ સીરિયલના ફેંસ આતુરતાથી દિશા વાકાણી ઉર્ફે દયાબેનની શોમાં વાપસીની રાહ જોઈ રહ્યા છે.

હવે હકીકતમાં દયાબેન શોમાં પરત આવશે કે નહિ, અને આવશે તો ક્યારે? આ બધા પ્રશ્નોના ઉત્તર શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આપ્યા છે. અસિત મોદીએ જણાવ્યું કે, સાચું કહું તો હું પણ દિલથી ઈચ્છુ છુ અને ફેંસ પણ ઈચ્છે છે કે, દયાબેન પરત આવી જાય અને તેના માટે મેં અને મારી ટીમે ખૂબ રાહ જોઈ છે.

દિશા વાંકાણી એટલે કે દયાબેનની વાપસી પર અસિત મોદી કહ્યું કે, તે પ્રેગ્નન્ટ હતી, પછી તે બેબી થયું, અમે પણ વિચાર્યું કે, તેમનું બેબી થોડું મોટું થઈ જાય અને તેને મધરહૂડ એન્જોય કરવા મળે. જો કે, અમને એવો કોઈ ફરક પડયો નથી. ફેંસ દયાબેનને મિસ કરતાં હતા પરંતુ શો પણ એન્જોય કરતાં હતા. પરંતુ હું હવે માનું કે, હવે શોમાં દયાબેનની જરૂરિયાત છે. કોરોનાના સમયમાં થોડા અમે પણ અટકાયેલા છીએ. હું એટલું જ કહીશ કે, ૧ અથવા ૨ મહિના પછી દયાબેન શોમાં પરત આવશે.

અસિત મોદીએ કહ્યું કે, મને પણ આશા છે કારણ કે જે પ્રેમ દિશા વાકાણીને તેમના ફેંસે આપ્યો છે તે મળવો મુશ્કેલ છે આવો પ્રેમ નસીબદારને મળતો હોય છે. તેથી મને લાગે છે કે દર્શકોના પ્રેમની દિશા કદર કરશે અને શોમાં પરત આવવા માટે પ્રયત્ન કરશે. જો દિશા અંગત કે કોઈ ફેમિલીના કારણે પરત આવી શકે એમ નથી તો હું તેના નિર્ણયનો આદર કરીશ અને શોમાં નવી દયાભાભી લાવવાની વિચારણા કરીશ. તો હવે જોવું રહ્યું કે, શોમાં દર્શકોને જૂની દયાભાભી જોવા મળશે કે નવી?

Scroll to Top