આ દિવાળીએ ભારતીયો ની એકતા અને સમજદારીને લીધે ચીનને અંદાજિત 50000 હજાર કરોડનો ફટકો

દિવાળી પહેલા જ ભારતીયો ચીનને નાદારીના આરે મૂકી રહ્યા છે. દિવાળી પહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે અને ચીની ચીજવસ્તુઓના બહિષ્કારથી ડ્રેગન ને લગભગ 50,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએટી)એ કહ્યું છે કે ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારના તેના અભીયાન ને કારણે ચીનને આ તહેવારોની સિઝનમાં વેપારમાં રૂ.50 કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. જ્યારે સ્થાનિક સ્તર પર ઘરાકી વધતાં અર્થતંત્રમાં રૂ.2 લાખ કરોડનો વધારો થવાની ધારણા છે.

આજે અહીં જારી કરાયેલા એક નિવેદનમાં સીએટીએ જણાવ્યું હતું કે, દિવાળીની હાલની તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને દેશભરના બજારોમાં ગ્રાહકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વેપારી સમુદાય ને મોટા વ્યવસાયની અપેક્ષા છે. દિવાળીના વેચાણના સમયગાળા દરમિયાન ગ્રાહકો દ્વારા થયેલા ખર્ચ થી અર્થતંત્ર ને લગભગ ૨ લાખ કરોડ રૂપિયા ની આવક થઈ શકે છે.

સીએટીએ કહ્યું હતું કે ગયા વર્ષની જેમ કેટએ પણ “ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર” કરવાની હાકલ કરી છે અને દેશના વેપારીઓ અને આયાતકારોએ ચીનથી આયાત બંધ કરી દીધી છે જેના કારણે આ દિવાળીની તહેવારોની સિઝનમાં ચીનને લગભગ 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. બીજો મહત્વનો ફેરફાર એ છે કે ગયા વર્ષથી ગ્રાહકોને ચાઇનીઝ માલ ખરીદવામાં પણ રસ નથી, જેના કારણે ભારતીય ચીજવસ્તુઓની માંગ માં વધારો થવાની સંભાવના છે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભારતિયા એ જણાવ્યું હતું કે કેટની સંશોધન શાખા કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા અનેક રાજ્યોના 20 શહેરોમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં એ હકીકત બહાર આવી છે કે આ વર્ષે અત્યાર સુધી ભારતીય વેપારીઓ અથવા આયાતકારો દ્વારા ચીનને દિવાળીનો માલ, ફટાકડા અથવા અન્ય સમાન વસ્તુઓનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી અને આ વર્ષે દિવાળી સંપૂર્ણપણે હિન્દુસ્તાની દિવાળી તરીકે ઉજવવામાં આવશે.

આ 20 શહેરો નવી દિલ્હી, અમદાવાદ, મુંબઈ, નાગપુર જયપુર, લખનઉ, ચંદીગઢ, રાયપુર, ભુવનેશ્વર, કોલકાતા, રાંચી, ગુવાહાટી, પટના, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, મદુરાઈ, પોંડિચેરી, ભોપાલ અને જમ્મુ છે. દર વર્ષે રક્ષાબંધન થી નવા વર્ષ સુધી 5 મહિનાની તહેવારોની મોસમમાં ભારતીય વેપારીઓ અને નિકાસકારો ચીનથી લગભગ 70,000 કરોડ રૂપિયાનો માલ આયાત કરે છે.

શ્રી ભારતીયા એ જણાવ્યું હતું કે, આ વર્ષે રક્ષાબંધન દરમિયાન ચીનને આશરે 5000 કરોડ અને ગણેશ ચતુર્થીએ રૂ.500 કરોડનું નુકસાન કર્યું હતું. અને દિવાળીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે સ્પષ્ટ સંકેત આપે છે કે આ માત્ર વેપારીઓ જ ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા નથી પરંતુ ગ્રાહકો પણ ચીનથી બનેલા ઉત્પાદનો ખરીદવા તૈયાર નથી.

Scroll to Top