શું તમે પણ કરો છો કીટો ડાઈટ? તો સાવધાન, કીટો ડાઈટથી કિડની પર થઈ શકે છે ગંભીર અસર
બંગાળની અભીનેત્રીનું મોત
બંગાળની અભીનેત્રી મિષ્ટી મુખર્જીનું અચાનક મોત થયું. જેના કારણે સૌ કોઈ અચંબીત થઈ ગયા છે. અને આ અચંબાનું કારણ છે કે તેમની કિડની ફેલ થઈ ગઈ હતી. જોકે તેનાથી પણ મોટી આશ્ચર્યની વાત એ છે કે તેનમે કોઈ રોગ ન હતો. પરંતુ તે કિટો ડાઈટ કરી હતી. જેના કારણે તેનું મોત થયું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
શું છે કીટો ડાઈટ ?
કીટો ડાઈટ મોટા ભાગે ડાયાબાટીસના દર્દીઓ ફોલો કરતા હોય છે. આ ડાઈટ કરવાથી મોટા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. સાથેજ આ ડાઈટને કારણે શરીરમાં સુગરનું પ્રમાણ પણ ઓછું થાય છે. આ ડાઈટ લોકો વજન ઉતારવા માટે પણ કરતા હોય છે.
ઝડપથી પરિણામ મળે છે
જો તમે એક ડાયાબીટસનો પેશન્ટ છો. અથવા તો તમે તમારું વજન ઓછું કરવા માગો છો. તો ડોક્ટરોનું કહેવું છે કે કિટોડાઈટ દ્વારા ઝડપથી તમને પરિણામ મળી શકે છે. પરંતુ અભિનેત્રી મિષ્ટી મુખર્જીના મોત બાદ કિટો ડાઈટ કરવું કે ન કરવું તે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે હજુ સુધી સાબિત નથી થયું કે મિષ્ટી મુખર્જીનું મોત કીટો ડાઈટને કારણેજ થયું હતું.
વધું પ્રોટીન કિડની પણ અસર કરી શકે છે
ડોક્ટરોનું કહેવું એવું પણ છે. કે વધું પ્રમાણમાં પ્રોટિન લેવામાં આવે તો કિડની પર અસર થતી હોય છે. અને કિટો ડાઈટથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. જેના કારણે તમારા શરીરમાં બ્લડ પ્રેશર જેવી સમસ્યા સર્જાઈ શકે છે. અને જો તમે કીટો ડાઈટ લાંબા સમય સુધી ફોલો કરશો તો તમને હાર્ટ સંબંધી સમસ્યા પણ થઈ શકે છે.
માત્ર વજન ઘટાડવાના ઉદ્દેશથી કિટો ડાઈટ કરી શકાય
જો તમારું શરીર ભારે છે. અને તમારે વજન ઘટાડવું છે. તો કીટો ડાઈટ ભારે વજન વાળા લોકો માટે સૌથી બેસ્ટ ઓપશન છે. પરંતુ એ વાતને પણ નકારી ન શકાય કે કીટો ડાઈટથી બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય છે. જે ડાઈરેક્ટ તમારી કીડની પર અસર કરી શકે છે.
યોગ્ય માત્રમાં ડાઈટ કરવી જરૂરી
કીટો ડાઈટ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ડાઈટ જો તમે ફોલો કરી રહ્યા છો.તો તમારે યોગ્ય માત્રામાં ખોરાકી ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અને જો તમે કોઈ પણ પ્રકારની ડાઈટ કરી રહ્યા છો. તો તમે પહેલા તમારા ડોક્ટર પાસે ડાઈટ શરૂ કરતા પહેલા સલાહ લો. જે તમારા માટે ફાયદાકારક રહેશે.