આર્થિક અનામત મળે તો હું આંદોલન છોડવા તૈયાર : હાર્દિક પટેલ

પાસ કન્વીનર હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. 15થી 18 ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ.

પરંતુ અહીં  પ્રશ્ન પ્રશ્ન એ થાય કે હાર્દિક પટેલે અનામત આંદોલનની શરૂઆત ઓબીસી  સાથે કરી હતી અને સ્ટેજ પરથી “ઓબીસી અનામત જ જોઈએ” “ઓબીસી સિવાય કઈ જ ખપે” એવા ભાષણો હાર્દિક કરી ચુક્યો છે અને સમાજને ગેરમાર્ગે દોર્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અમાત આંદોલન સમિતિએ ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે પાસ કન્વીનરોની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં તા. 25મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 25મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે. પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે. તેમજ અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવશે અને જ્યાં ઝૂકવુ પડશે ત્યાં ઝૂકીશું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top