InternationalNews

દિલ્હીથી દોહા જતી ફ્લાઈટનું આખરે કેમ ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું?

કતાર એરવેઝની QR579 ફ્લાઈટ દિલ્હીથી દોહા જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પછી ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ કરાચી એરપોર્ટ પર લેન્ડ થઈ છે. વિમાનમાં 100 થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટના તમામ મુસાફરો સુરક્ષિત છે.

ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કેમ કરવું પડ્યું?
કતાર એરવેઝે માહિતી આપી છે કે 21 માર્ચે દિલ્હીથી દોહા જતી ફ્લાઇટ QR579ને કરાચી તરફ વાળવામાં આવી હતી, કારણ કે કાર્ગો હોલ્ડમાં ધુમાડાના ચિહ્નો મળતાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, જ્યાં તેને ઈમરજન્સી સેવાઓ મળી હતી અને મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.

મુસાફરોને બીજી ફ્લાઈટ દ્વારા દોહા લઈ જવામાં આવશે
હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરોને દોહા લઈ જવા માટે રાહત ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કતાર એરવેઝ થકી એવું કહેવામાં આવ્યું છે કે અમે અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ અને આગળની મુસાફરીની યોજનાઓમાં મદદ કરવામાં આવશે

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker