સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

અમદાવાદમાં ભયંકર રીતે ફેલાઈ રહી છે આંખની બીમારી

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
અમદાવાદમાં ભયંકર રીતે ફેલાઈ રહી છે આંખની બીમારી

આજકાલ રાજ્યભરમાં આંખની બીમારીના ઘણા દર્દીઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં લગભગ ૨૦૮  જેટલા દર્દીઓમાં કન્જકટીવાઈટિસ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. અમદાવાદના અસારવામાં આવેલ મંજુશ્રીમિલ ખાતે આવેલ આંખની હોસ્પિટલમાં ૧૫૩ દર્દીઓ સારવાર માટે પહોચ્યા હતા. બીજી તરફ, સોલા સિવિલ હોસ્પિટલના નેત્ર વિભાગમાં પણ ૬૦ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ હોસ્પિટલોમાં આ પ્રકારે મોટી સંખ્યામાં કન્જક્ટીવાઈટીસ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. નેત્ર ચિકિત્સકોનું કહેવું છે કે, આ ચેપથી ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. જો કે, દર વર્ષે આ દિવસોમાં આ ચેપના કેસોમાં વધારો થાય છે.

કન્જક્ટીવાઈટીસ વાયરસના લક્ષણો:

આ વાયરસના લક્ષણોમાં આંખ લાલ થઇ જવા સાથે ખંજવાળ, સતત પાણી આવવું અને આંખમાં દુખાવો જોવા મળે છે. તેવા કિસ્સામાં ડોકટર દ્વારા તેની સારવાર કરાવવી જોઈએ.  પોતાને અને બીજાને ચેપ ન લાગે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વાયરસનું સંક્રમણ ના થાય તેના માટે શું કરવું?

સૌથી પહેલા સંક્રમિત વ્યક્તિએ મોં અને હાથને સ્વચ્છ રાખવા જોઈએ. વાયરસના લક્ષણો જોવા મળે તો સૌથી પહેલા નજીકના આંખ રોગ નિષ્ણાત પાસે તેની સારવાર કરાવવી જોઈએ. ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ આંખના ટીપાં નાખતા પહેલા અને પછી હાથને સારી રીતે ધોઈ લેવા જોઈએ. સંક્રમિત વ્યક્તિની વસ્તુઓ જેવી કે રૂમાલ, ટુવાલ વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ. આંખોની સુરક્ષા માટે ચશ્મા પહેરવા જોઈએ. લોકોએ દર્દીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ જેથી કરીને અન્ય લોકોને આ ચેપ ન લાગે. આ સિવાય ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ.

AD
ટૅગ્સ:#અમદાવાદ
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Chandipura Virus News
Ahmedabad

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

Ahmedabad Chief Fire Officer ACB Trap
Ahmedabad

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા

અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]