માતા-પિતા અને બાળક વચ્ચે એક સંબંધ છે જે ઘણો અમૂલ્ય છે. શબ્દોમાં આ સંબંધની મહત્તાનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. બાળક નાની જગ્યામાં પણ માતા-પિતા ની છાયાનીચી ખૂબ જ સલામત રહે છે. બાળક માટે પિતાનો સ્નેહ માતા સમાન જ છે. જો આ બધાની વચ્ચે લાલચ આવી જાય, તો પછી બધા સંબંધોને બાજુથી બાંધી દેવામાં આવે છે. એક કહેવત છેને કે, ‘બાપ બડા ન ભયા, સબસે બડા રુપયા’ આ કહેવત યૂપીની આ ઘટનાને બંધબેસે છે. આ ઘટનામાં પિતા પુત્રનો સૌથી પવિત્ર સંબંધોને શરમજનક બનાવ્યો છે. યૂપીના અમરોહામાંથી એક સગા પિતાએ પૈસાની લાલચમાં પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટના સામે આવી છે.
જો કે પિતાએ ગરીબીમાંથી છૂટકારો મેળવવા માટે એક વ્યક્તિએ તેનાં બાળકને રૂપિયા 3 લાખમાં વેચી દેવાનો ઘણો પ્રયાસ કર્યો. જ્યારે આ વ્યક્તિને અમરોહા જીલ્લામાં એક પણ ખરીદનાર ના મળતા તેને ગુસ્સામાં આવીને તેનાં જ બાળકની હત્યા કરી દીધી છે. જો કે બાદમાં આ વ્યક્તિના પિતા ધાનોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે મોહમ્મદ નૌશાદ નામના આરોપીની ગઈકાલે સાંજે ધરપકડ કરી લીધી છે.
જો કે આ મોહમ્મદ નૌશાદ શ્રમિક છે. અને તે તેની ગરીબી દૂર કરવા માટે આ પગલું ભર્યું હતું. જે પોલીસની પૂછપરછમાં બાળકની માતા નઝરાનાએ જણાવ્યું કે, તેના પતિએ બાળકને વેચવાનું નક્કી કર્યું હતું. નઝરાના આ નિર્ણયની વિરૂદ્ધ હતી અને તેને લઈને તેઓમાં અવારનવાર મારપીટ થતી હતી. જો કે મંગળવારે નૌશાદે નઝરાનાને ધાનોરા મંડી વિસ્તારમાં રહેતા પાડોશીને ત્યાં મોબાઈલ ફોનનું ચાર્જર લેવા માટે મોકલી હતી. જો કે નઝરાને આ વાત પર શંકા ગઈ અને તે તરત જ ઘરે પાછી આવી ગઈ હતી.
અને ઘરે આવીને તેને જોયું તો નૌશાદએ તેના પતિને પોતાના બાળકની હત્યા કરતા ઝડપી પાડ્યો હતો. ત્યારે આ સમયે બાળક નીચે બેભાન રીતે પડ્યું હતું. બાદમાં નઝરાના તેના બાળકને લઈને સારવાર માટે હોસ્પિટલ દોડી આવી હતી. પરંતુ ડોક્ટરોએ બાળક આ બાળકને ને મૃત જાહેર કર્યો. જેને લઈને નઝરાના એ તેના પતિ નૌશાદે સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણીનીએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, નૌશાદને દારૂ પીવાની લત હતી અને જુગાર રમીને પૈસાદાર બનવા માંગતો હોઈ તેને પૈસાની જરૂર હતી.
પોલીસ સ્ટેશનના એસએચઓ જયવીર સિંહે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં નૌશાદ અને નઝરાનાના લગ્ન થયા હતા. ત્યારબાદ તેઓને બે સંતાન થયા. નૌશાદ શ્રમિક છે અને તેને દારૂ પીવાની લત છે. જે ગરીબીને દૂર કરવા માટે તેને પોતાના બાળકને વેચવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેને કોઈ ખરીદનાર ના મળતા તેને ગુસ્સામાં તેના 1 વર્ષના બાળકની હત્યા કરી દીધી. આ બાળકની હત્યા બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને તેને જેલની પાછળ ધકેલી દીધો છે. જો કે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.