તમે બજારમાંથી કંઈપણ વસ્તુ ખરીદો છો, જેમ કે જૂતા, પર્સ, બેગ્સ અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક સામાન, તો આ સામનો ના પેકેટ ની અંદર કોઈક નાના નાના પેકેટની તમને જોવા મળે છે. સામાન્ય રીતે લોકો ને લાગે છે કે આ બેકાર માં જ આપવામાં આવ્યા છે, અને તેઓ તેને કચરામાં ફેંકીદે છે. પરંતુ આ પેકેટ માં જે વસ્તુઓ હોય છે તેમના ફાયદા જાણી ને તમે નિરાશ થઈ જશો.
હકીકતમાં, એ નાના-નાના પેકેટ સિલિકા જેલ ના હોય છે. સામાન્ય રીતે સિલિકા જેલ પ્રાણીઓને કોઈ ચોક્કસ નુકસાન પહોંચાડતી નથી પરંતુ તે માનવો માટે ખૂબ જોખમી છે. તેથી જ આ પેકેટો ઉપર લખવામાં આવે છે, સિલિકા જેલ બાળકોની પહોંચથી દૂર રાખો.
સિલિકા જેલ ઘણા કિસ્સાઓમાં તમને ફાયદો કરી શકે છે. તે એક અત્યંત શક્તિશાળી શોષક છે જે હવા માં આવેલા ભેજ ને બોવજ જલદી શોષણ કરીલે છે. સિલિકા જેલ તમારા આવશ્યક કાગળોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.જેમ તમે તમારા કબાટમાં પાસપોર્ટ,જન્મપ્રમાણપત્રો,લગ્ન પ્રમાણપત્રો,વાહન કાગળો વગેરે રાખ્યા છે ત્યાં થોડી સિલિકા જેલ મૂકીદો.આ જેલ તે કાગળને ભેજ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખશે.
સિલિકા જેલ કપડાં ખાસ કરીને શરર્દી ના કપડાં ના માટે પણ વધારે ફાયદામંદ હોય છે.એટલા માટે જરૂરી છે કે જો તમે શરર્દીઓ ના કપડાં રાખી રહ્યા હોય,તો એ કપડાં ની વચ્ચે બે-ત્રણ સિલિકા જેલ ના પેકેટ રાખીદો,આનાથી તમારા કપડાંમાં ભેજ નહીં આવે,અને ના તો તેમાંથી કોઈપણ પ્રકાર ની ગંધ આવશે.
જ્વેલરી માટે સિલિકા જેલ પણ ખૂબ ફાયદાકારક છે.સામાન્ય રીતે હવામાં હાજર ભેજને કારણે, ઘરેણાં ખાસ કરીને ચાંદી ના ઘરેણાં માં કાળો કલર આવી જાય છે.આ કાળો રંગ દૂર કરવાની સૌથી સારો ઉપાય છે કે તમે જ્વેલરી બોક્સ ના અંદર સિલિકા નું એક પેકેટ રાખીદો.આ તમારા દાગીનાને ચમકતા અને ભેજથી બચાવી રાખશે.