ArticleLife Style

ગામડાનું જીવન જીવવાનાં શોખીન છે રાજભા ગઢવી, જુઓ તેમનાં આલીશાન બંગલા “ગીર” ની અંદરનો નજારો

ગીતો સાંભળવાનો કોને શોખ નથી દરેક લોકો આજે ગીતો, કથા ના શોખીન થઈ ગયા છે અને જો ગુજરાતી કલાકારોની વાત કરીએ અને એમાં રાજભા ગઢવીનું નામ ના લઈએ એ ના કહેવાય રાજભા ગઢવી સુરીલો અવાજ દરેક લોકોના દિલમાં નામ બનાવી દીધું છે. હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.

યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી, એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે. આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી.

લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે. ધર્મ,સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે. હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ, રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે. ગીરમાં કનકાઈ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા, છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે.

રાજભા ગઢવીએ ખંત અને મહેનતથી મોટું નામ કમાયા છે. તેમણે પરિવાર માટે લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. રાજભા ગઢવી આજે ફોર્ચ્યુનર કારમાં ફરે છે. રાજભા ગઢવી હાલમાં કોરોનાના કહેરમાં જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવાકાર્ય પણ કરી રહ્યા છે. તો આવો નજર કરીએ રાજભા ગઢવીના ઘરની તસવીરો પર.

મુળ ગીરની મધ્યે આવેલ લીલાપાણી નેસમાંથી આવતા રાજભા ગામડાની પ્રકૃતિમાં રહેનાર છે. નાનપણથી પશુપાલનનો વ્યવસાય હોવાથી તેઓ વગડામાં ભેંસો ચારવા જતાં.ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો. નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે.

રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવતી વખતે રેડિયો સાંભળતા હતા. રેડિયો પર તેઓ હેમુ ગઢવી સહિતના કલાકારોએ સાંભળતા અને ગાયકીના હુન્નર શીખ્યા હતા.રાજભામાં બાળપણથી પ્રતિભા હતી. તેઓ સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. રાજભાએ વર્ષ 2001 માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.

રાજભા ગઢવીએ આ ગીત ઉપરાંત પણ બીજા ઘણાં ગીતો લખ્યાં છે. જેમાં મરજીવા પાઘડીવાળા, સમરાટ ભાગ્યો શ્વાનથી, દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન જેવાં ગીતો લોકડાયરાઓમાં લોકપ્રિય છે. આ સંમેલનમાં એક પ્રખ્યાત કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યાએ રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો. અહીંથી રાજભા ગઢવીની કિસ્મત બદલાઈ ગઈ હતી.

આ સંમેલનમાં રાજભાઈએ દુહા-છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધીમે ધીમે રાજભાની ખ્યાતિ ફેલાવવા લાગી. રાજભાનો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગી. બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરના કાર્યકમો યોજાવા લાગ્યા હતા. આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે.

યુવાન વયના રાજભા ગઢવીએ પ્રકૃતિને સંબોધીને કૃષ્ણ-રાધાના પ્રેમનું ગીત સાયબો ગોવાળીયોની રચના 2003 માં કરેલી. સાયબો મારો ગોવરિયો સહિત અનેક રચનાઓ બનાવી છે. રાજભાએ પોતાના દુહા-છંદ અને લોકોગીતોનું પુસ્તક ‘ગીરની ગંગોત્રી’ બહાર પાડ્યું છે.

રાજભાએ ગુજરાત બહાર નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ કાર્યક્રમો કર્યા છે. રાજભા છેલ્લાં 12 વર્ષથી પરિવાર સાથે ગીર છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker