ઘર આંગણે રમી રહેલ બાળક પર પૂર ઝડપે આવી રહેલ ટ્રક ચઢી જતાં 3 વર્ષના માસુમનું મોત નીપજ્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ઘરની પાસે રમી રહેલા બાળકને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનો કરૃણ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જે ઘરના આંગણામાં જ રમી રહેલા માસુમ બાળકનો જીવ ગયો છે. બોડેલીના ઢોકલીયામાં ફૂલ સ્પીડે આવી રહેલા ટ્રકના આગળના પૈડા નીચે 3 વર્ષનું બાળક આવી જતા તેનું મોત નીપજ્યું છે.

આ કરુણ ઘટનાને કારણે નદી ફળિયા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ બનાવની વિગતો એવી છે કે બોડેલીના ઢોકલીયામાં પંચાયત ગલી પાછળ નદી ફળિયું આવેલું છે. જ્યાં મૂળ યુપીનો પરિવાર રહે છે અને ઘરનો મોભી પાણીપુરી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન આજે તેમનો 3 વર્ષનો દીકરો ઘરના આંગણે રમી રહ્યો હતો તે દરમિયાન પૂરપાચ ઝડપે આવી રહેલું ટ્રક તેના પર ફરી વળ્યું હતું. જેમાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

સ્થાનિકો મુજબ અહીંથી અવારનવાર આવા ટ્રકો પુરપાટે નીકળે છે. પોલીસને પણ અગાઉ આ અંગે ગ્રામ પંચાયતના સભ્યોએ રજૂઆત કરી હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટના મામલે પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે ટ્રકના આગળના પૈડા તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળ મોત નીપજ્યું હતું.

જો કે ટ્રકના પૈડા ફરી વળ્યા બાદ માસુમ બાળકનું માથું આખું છૂંટાઈ ગયું હતું. એક પ્રત્યક્ષદર્શીના મતે ટ્રક પાઇપ ફેક્ટરીમાં સિમેન્ટ ખાલી કરીને પરત આવતો હતો. જો કે આ ઘટના બાદ બોડેલી પોલીસ ઢોકલીયાના નદી ફળિયાએ આવી પહોંતી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. ટ્રકનો ચાલક ઘટના બાદ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઢોકલીયા ગ્રામ પંચાયતના સરપંચના જણાવ્યા અનુસાર, સવારે ઢોકલીયા ગામે નદી ફળિયાની અંદર પાઈપ ફેક્ટરીમાં સીમેન્ટ ખાલી કરીને પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે નદી ફળિયામાં 15 વર્ષથી પાણીપુરીનો વ્યવસાય કરતા હરપાલભાઈના 3 વર્ષના રંજ કુમારને અડફેટે લીધો હતો.

નદી ફળિયાના રહીશોએ જણાવ્યું છે કે અહીંથી અવારનવાર આવા સિમેન્ટથી ભરેલ ટ્રકો પુરપાટે નીકળતા રહે છે. ત્યારે આ અંગે પોલીસને પણ અગાઉ જાણ કરેલ છે અને ગ્રામ પંચાયતના સભ્યોએ રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યુ નથી ત્યારે ફરી કોઈ બાળકનો જીવ ન જાય તેની તકેદારી રખાવવા માટે પોલીસની ફરજ છે.

Scroll to Top