પૈસા આ જમાનામાં બધા માટે જરૂરી છે પરંતુ શું પૈસા તમારા બાળકથી વધારે મહત્વ ધરાવે છે? ત્યારે તમારો જવાબ નાં હશે પરંતુ આખા ગુજરાત માં એક માં બાપ એવા છે જેને આ જવાબ માં હ નથી પડી પરંતુ હ ને સાકાર કરી દીધી છે.
આખા ગુજરાત ને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે માત્ર ચંદ પૈસા માટે સગા માં બાપે પોતાની દીકરીને વેચી દીધી.જાણીએ આ ઘટના વિશે વિગતે દાંતાના ખેરમાળ ગામે સગીરાને પૈસા માટે પરિવારજનોએ લગ્નના નામે વેચી દીધી હતી.
આ આખી ગુનાહિત સોદાબાજીનો વિડિયો વાયરલ થતાં ભાંડો ફૂટ્યો છે.હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હવે સગીરાનો પરિવાર લીધેલા પેસા પાછા આપી અને સગીરાને પરત મેળવવાની માંગ કરી રહ્યો છે. બનાસકાંઠાના ખેરમાળ ગામની 17 વર્ષની સગીરાને દોઢ લાખ રૂપિયા લઈને અમદાવાદના યુવક સાથે પરણાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બાળ લગ્નની માહિતીના પગલે મહિલા પોલીસે બાળ સુરક્ષા અધિકારી સાથે મળીને સગીરાને શોધી કાઢી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. બીજી તરફ મહિલા ક્રાઈમ બ્રાંચમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખેરમાળ ગામમાં રહેતા પરિવારની એક સગીર દિકરીના અમદાવાદના યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. બાળ લગ્ન કરાવવા પાછળ રૂપિયાની લેવડદેવડ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
રૂપિયાની લેવડદેવડમાં વાંધો પડતા બાળ લગ્નનો ભાંડો ફૂટી ગયો હતો અને સગીરાના લગ્નના ફોટા-વિડીયો વાઈરલ થઈ ગયા હતા. જેના પગલે સરકારી તંત્ર હરકતમાં આવી ગયું હતું.ખેરમાળ ગામે લગ્નના નામે સગીરાનો સૌદો થયો હતો. આ કિસ્સામાં સગીરાને વેચનાર અને ખરીદનાર બંને દોષિત છે.
આ ઘટનાના ફોટા અને વિડીયોને પગલે ચકચાર મચી છે. વાયરલ વિડિઓ સોદાબાજીનો મોટો પુરાવો છે. જેમાં કિશોરીનાં પરિવારજનો કહે છે કે “છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું. ત્યારે અન્ય કહે છે કે શેની પાછી આવે ટાંટિયા તોડી દઈશું.” અહીં આ લગ્નની આવી વિચિત્ર શરતો નક્કી કરતો આરોપીઓનો વિડિઓ સામે આવ્યો છે. તો આ ધ્રુણાસ્પદ ઘટનામાં દલાલ પણ હોવાનું સામે આવ્યું છે.
ખેરમાળ ગામની સગીરાની સોદાબાજીની આ ઘટનાથી એ વાત સામે આવી છેકે આદિવાસી વિસ્તારમાં સગીરાઓનું કેટલી હદે શોષણ થઇ રહ્યુ છે. જ્યાં પૈસા ના દમ પર લાચાર માશું યુવતીઓનું શોષણ થાય છે.
ખુદ સાગા માં બાપ જ અહીં જાનવર બની ને બેઠા છે. આ ઘટનામાં સગીરાના પિતા અને સગીરાના નામ સાથેના રેશનકાર્ડની વિગતો પણ સામે આવી છે. જેમાં સગીરાની ઉંમર 15 વર્ષની હોવાનું સામે આવ્યુ છે.
આ સમગ્ર પ્રકરણમાં સગીરાના લગ્ન પુખ્ત વયના યુવક સાથે થયા છે તો લગ્નની શરતો સાથેનો વીડિયો સામે આવતા આ ઘટના વધુ ગંભીર બની ગઇ છે. ખેરમાળ ગામની આ ઘટનાને લઈને આદિવાસી અગ્રણીઓમાં પણ આક્રોશ છે.
આદિવાસી અગ્રણીઓએ આ દૂષણ માટે દલાલોને તેમજ સ્થાનિક પોલીસને જવાબદાર ગણાવીને જરૂર પડયે વિધાનસભામાં જવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસે સગીરાના પરિવારના નિવેદન લીધા છે. તો સમાજ સુરક્ષા અધિકારીએ પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જેમાં માતાપિતા સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.
સગીરાના લગ્ન અમદાવાદ મેઘાણીનગર ચમનપુરા વિસ્તારમાં કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા મહિલા પોલીસની ટીમ અને બાળ સુરક્ષા અધિકારી તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર સગીરાના સાસુ મળતા તેમની પૂછપરછમાં કિશોરી તેની નણંદના ઘરે કુબેરનગર ખાતે હોવાની જાણકારી મળી હતી.
પોલીસે કુબરેનગર ખાતેથી કિશોરીને રેસ્કયુ કરી તેને ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે. આ સમગ્ર પ્રકરણ પૈસાને લઇને બહાર આવ્યુ. જેમાં પેથાપુરમાં આદિવાસી મેળામાં સગીરાનો દોઢ લાખમાં સોદો થયો અને ત્યાં તેઓવ આ સગીરાને દલાલ સાથે ફટકારી મારવાનું પણ વિચાર્યું હતું.
સોદો થયા બેટ થોડી ચર્ચા થઈ અને ત્યારબાદ અમદાવાદ લગ્ન માટે મોકલી દેવાઇ દલાલે દોઢ લાખ રૂપિયા લઇને કન્યાના પરિવારને 50 હજાર રૂપિયા જ આપ્યા હતા.જે બાદ બાકીના પૈસાની માંગ સગીરાના માતાપિતાએ કરતા દલાલે ના પાડતા સગીરાના માતાપિતાએ દિકરીને પરત માંગી હતી. જેમાં દલાલે 50 હજાર પાછા આપવા કહ્યું અને આ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ ઘટનામાં પોલીસ હવે કેટલી કડકાઇથી કામગીરી કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.જો કે તેઓનું કહેવું છે કે અમે આ દલાલ અને વેલી તકે ધરપકડ કરી લઈસુ તથા તે કડક માં કડક સજા પણ આપીશું.