શું તમારી આજુબાજુ કોઈ રોડ કે રસ્તા તૂટેલા કે ખરાબ છે? તો આ નંબર પર વોટ્સએપ કરી સરકારને કરી શકો છો જાણ

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખરાબ રીતે તૂટેલા છે જ્યારે આવા ખરાબ રસ્તાને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત અભિયાન શરૂ કરાયું છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આવતા અઠવાડિયાથી ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાત ભરમાં 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચલાવવામાં આવશે. જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પડેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કામ કરવામાં આવશે. તેના માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવી રહ્યો છે.

આ બાબતમાં તમે તમારી આજુબાજુના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર મોકલવી પડશે. તેમજ વિભાગ દ્વારા બહાર પાડેલા ઇ એડ્રેસ પર મોકલવા પડશે. તમામ સાચી વિગતો ફોટા સાથે ભરવી પડશે. જેથી આવતા અઠવાડિયામાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર કરી દેવામાં આવે.

જ્યારે માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા તમે જાણ કરી શકશો. તેના માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવેલ છે. જેમાં તમારૂ નામ, મોબાઇલ નંબર મોકલવો પડશે. મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ, તાલુકા અને જિલ્લાનું નામ, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવું પડશે. તેની સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપી શકશો. આ નંબર માત્ર વોટ્સએપ માટે છે તેના પર કોલ કરવો નહીં તેવી જાહેરાત કરાઈ છે.

Scroll to Top