ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ઇસીટીએને મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયાની સંસદે આ કરારને બહાલી આપી છે. આ નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ કરવાનું તો સરળ બનશે જ પરંતુ જેઓ ભણવાનું અને નોકરી મેળવવાનું સપનું છે તેમની ઈચ્છા પૂરી થશે.
હા! જો તમે ઓસ્ટ્રેલિયામાં ભણવા કે કામ કરવા માંગતા હોવ તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પાસ કરવું તમારા માટે સારા સમાચાર છે. જો તમે યોગ શિક્ષક છો અને ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માંગો છો, તો તમારા માટે આ રસ્તો વધુ સરળ બની ગયો છે.
આ કરાર બાદ હવે 1 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ 4 વર્ષ માટે વર્ક વિઝા પર મોકલી શકાશે. આ ઉપરાંત 1800 ભારતીય યોગ શિક્ષકો અને રસોઇયાઓ પણ એક વર્ષમાં ઓસ્ટ્રેલિયા જઈને કામ કરી શકશે. હવે પ્રોફેશનલ્સ માટે વર્ક અને હોલિડે વિઝા ઉપલબ્ધ થશે તેનાથી 10 લાખ વધારાની નોકરીઓ મળવાની શક્યતા છે.
આ ક્ષેત્રોને મોટો ફાયદો
ઓસ્ટ્રેલિયા સાથેના વેપાર કરાર બાદ 6000 થી વધુ ક્ષેત્રો ઓસ્ટ્રેલિયામાં કોઈપણ ફી વગર વેપાર કરી શકશે પરંતુ તેમાંથી કેટલાક ક્ષેત્રોને ઘણો ફાયદો થશે. આ સેક્ટરમાં લેધર, ફૂટવેર, ટેક્સટાઈલ, ગાર્મેન્ટ, જ્વેલરી જેવા સેક્ટર્સને ફાયદો થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયામાં લાદવામાં આવેલી 5%ની આયાત જકાત સમાપ્ત થશે. આ નિર્ણય બાદ એન્જિનિયરિંગ, ફર્નિચર, મેડિકલ ડિવાઈસને પણ ફાયદો થવાની આશા છે. આ નવા નિર્ણય બાદ સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગ માટે સસ્તો કાચો માલ ઉપલબ્ધ થશે. આગામી પાંચ વર્ષમાં બિઝનેસમાં 15-20 અબજ ડોલરનો વધારો થવાની ધારણા છે.