ગૂગલ અને માઈક્રોસોફ્ટ ભારતની મદદ કરવા આવ્યા આગળ, જાણો કેટલું કર્યું દાન

કોરોના મહામારીને કારણે હાલ ભારતમાં ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે જેથી વિશ્વના મોટા ભાગના દેશ ભારતની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે ગૂગલની સીઈઓ સુંદર પિચાઈ દ્વારા પણ ભારતને મોટી મદદ આપવામાં આવી છે સાથેજ માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ પણ ભારતની મદદ કરવાનો વાયદો કર્યો છે.

મદદ કરવાનો વાયદો

કોરોનીની બીજી લહેર ભારત માટે સૌથી ઘાતક સાબિત થઈ છે ત્યારે આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ગૂગલના ભારતીય સીઈઓએ ભારતની ચિંતા વ્યક્ત કરી છે સાથેજ માજ્ઞક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ પણ ભારતની સ્થિતીને જોઈને દુખ વ્યક્ત કર્યું છે આવા કપરા સમયમાં બને કંપનીના સીઈઓ દ્વારા ભારતની મદદ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું

સત્ય નાડેલાએ કહ્યું કે કોરોના વાયરસની બજી લહેરને કારણે ભારતમાં ઘણા લોકો હેરાન થયા છેય જેના કારણે તેઓ દુખી છે જેથી તેઓ રાહતના ઉપયોમાં મદદ કરશે તેવો તેમણે વાયદો કર્યો છે તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતની વર્તમાન પરિસ્થિતીને કારણે તેઓ ઘણા દુખી છે સાથેજ તેમણે કહ્યું કે અમેરિકાની સરકાર પણ ભારતની મદદ કરવામાં જોડાઇ ગઈ છે જે ઘણી સારી બાબત છે.

135 કરોડનું દાન

તો ગૂગલના સીઓ દ્વારા પણ ટ્વીટ રરીને માહિતી આપવામાં આવી કે તેઓ આર્થિક સંકટમાં ભારતને 135 કરોડ રૂપિય દાન કરવાના છે આ ફંડ ભારતને ગીવ ઈન્ડિયા યૂનિસેફના માધ્યમથી આપવામાં આવશે. જેથી ભારતને ઘણી રાહત મળી રાહત મળી રહેશે. સાથેજ મેડિકલ ક્ષેત્રે પણ ભારતને મદદ મળી રહેશે. કારણકે ભારતમાં હા ઓક્સિજનની ઘણી અછત છે.

900 કર્મચારીઓનું દાન

યૂનિસેફના માધ્યમથી ઓક્સિજન અને ટેસ્ટિંગના સાધવો સહિત અન્ય મેડિકલ સપ્લાય પણ ભારતને આપવામાં આવશે. આ સીવાય તમને સાંભળીને નવાઈ લાગશે કે ગૂગલના કર્મચારીઓએ પણ ભારતને ડોનેશન મળી રહે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે. જેમા અત્યાર સુધીમાં ગુગલના 900 જેટલા કર્મચારીઓએ 3.7 કરોડનું ફંડ ભેગુ કર્યું છે.

સંક્રમણ ભયકંર બેકાબૂ

ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોનાને કારણે ભયંકર ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે હોસ્પિટલોમાં લોકોને બેડ નથી મળી રહ્યા સાથેજ હોસ્પિટલોમાં ઓક્સિજનનો પણ અભાવ છે ઉપરાંત એમ્બ્યુલન્સ સેવામાં પણ 24 કલાકનું વેઈટીંગ બોલાઈ રહ્યું છે. સાથેજ હોસ્પિટલની બહાર પણ એમ્બ્યુલન્સો 4 કલાક સુધી વેઈટીંગમાં ઉભી રહે છે જેના કારણે ઘણા લોકોના સારવાર પહેલાજ મોત થઈ જાય છે.

Scroll to Top