સરકાર આવતા મહિનાથી આ પેન્શન સ્કીમ બંધ કરશે, આ લોકો નહીં લઈ શકે લાભ, ખાતું પણ બંધ થશે

Atal Pension Yojana : ભારત સરકારે દેશના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે. કેન્દ્ર સરકાર સમયાંતરે પોતાની યોજનામાં ફેરફાર કરતી રહે છે. હવે મોદી સરકારે અટલ પેન્શન યોજનાના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે પણ આ પેન્શન સ્કીમનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આવતા મહિનાથી અટલ પેન્શન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબરથી ટેક્સ જમા કરનારા રોકાણકારો અટલ પેન્શન યોજનામાં રોકાણ નહીં કરી શકે.

કરદાતાને લાભ નહીં મળે

કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજના રોકાણ નિયમોમાં સુધારો કર્યો છે, જે 1 ઓક્ટોબર 2022થી અમલમાં આવશે. નવા નિયમોમાં જાહેરાત કરતાં સરકારે કહ્યું હતું કે, આવકવેરો ભરનારા લોકો આ યોજનાનો લાભ નહીં લઈ શકે. નાણા મંત્રાલય હેઠળના નાણાકીય સેવાઓ વિભાગે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે.

1 ઓક્ટોબરથી નિયમોમાં ફેરફાર થશે

આ સરકારી યોજનાનો નવો નિયમ ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે. આ તારીખ પહેલા દેશના તમામ કરદાતાઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને આ યોજનાનો લાભ મળતો રહેશે.

ખાતું બંધ કરવામાં આવશે

જો અટલ પેન્શન યોજના ખાતું 1 ઓક્ટોબર પછી ખોલવામાં આવે છે અને તે વ્યક્તિ પહેલેથી જ આવકવેરો ભરતો હોય તો તેનું ખાતું બંધ થઈ જશે. આવી વ્યક્તિઓને અટલ પેન્શન યોજના ખાતું (APY એકાઉન્ટ) બંધ કરવાની તારીખ સુધી જમા કરાયેલ પેન્શનના નાણાં તરત જ આપવામાં આવશે.

સરકારની આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે

કોઈપણ ભારતીય નાગરિક અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. આ પેન્શન યોજનાનો ભાગ બનવા માટે તમારી પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. અટલ યોજના હેઠળ ખાતું ખોલવા માટે પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. આ યોજનામાં, તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. 18-40 વર્ષની વય વચ્ચેનો કોઈપણ નાગરિક આનો લાભ લઈ શકે છે.

Scroll to Top