કોરોનાથી બચવું હોય તો આ ચીજવસ્તુઓને અડ્યા બાદ જરૂર હાથ ધોવો

કોરોના વાયરસથઇ બચવું છે તો હાથ ધોવા ખૂબ જરૂરી છે. તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. નિષ્ણાતના જણાવ્યા મુજબ, વાયરસને ફેલાતા રોકવા માટે હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. કોરોના વાયરસના લીધે આપણું સામાન્ય જીવન ચોક્કસપણે બદલાઇ ગયુ છે. જેના કારણે હેન્ડ વૉશિંગ ઘણું મહત્વ વધી ગયું છે. આવું કરવાના કારણે કોઈપણ સંક્રમણ ફેલાવાનો ખતરો નહીંવત થઇ જાય છે.

હાથ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ. કેમકે ગરમ પાણીથી હાથ ધોવાથી સ્કિન સૂકી પડવાની સંભાવના છે. પરંતુ તમે નવશેકા પાણીથી હાથ જરૂર ધોઈ શકો છો. માત્ર હાથ ધોવા જ મ પૂરતા નથી હોતા આંગળીઓની વચ્ચે, કાંડુ અને નખના હિસ્સાને પણ સાફ રાખવા જોઈએ.

કોરોના વાયરસના રોગચાળામાં હંમેશાં હેન્ડ સેનેટાઈઝર સાથે રાખવું જરૂરી થઈ ગયું છે. જ્યારે ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે તો ખાસ કરીને હેન્ડ સેનેટાઈઝર લઈ જવાની ભૂલ કરશો નહીં. કેમકે આ દરમિયાન તે જરૂરી કામ કરી નાખે છે. આ સિવાય હાથને સ્વચ્છ રાખવા માટે હેન્ડ વાઈપ્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તમે ક્યાંક બહાર જવ છો, ભોજન કરી રહ્યા છો ત્યારે હેન્ડ વાઈપ્સનું પેકેટ સાથે લઈને જરૂર જાવ. જમતા પહેલા હાથને એકદમ સાફ કરી નાખવા જોઈએ.

ક્યારે-ક્યારે હાથ ધોવા જરૂરી છે?

  • જમવાનું બનાવતા હોય પહેલા અને પછી
  • છીંક આવે ત્યારે અથવા ઉધરસ આવે તે પછી
  • જ્યારે હાથ ગંદા હોય ત્યારે ધોવા જરૂર
  • કોઈ કચરાને સ્પર્શ કરો ત્યારે હાથ ધોવા જોઈએ
  • ટોઈલેટના ઉપયોગ બાદ હાથ ધોવા જરૂરી
  • બહારથી ઘરે આવો ત્યારે સૌથી પહેલા હાથ ધોઈ નાખો
  • ઘરમાં પાલતુ પ્રાણી છે તો તેને અડ્યા બાદ હાથ જરૂર ધોવા
Scroll to Top