ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ હવે વધી રહ્યું છે તેમા પણ હવે તો રાજનેતાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે થોડાક દિવસો પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસ નેતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યારે વધુંમાં હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.
મુખ્યમંત્રી તેમના સંપર્કમાં હતા
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેથી તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 24 કલાકથી કેન્દ્રીય મુખ્યમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા. જે એક ચિંતાનો વિષય કહી શકાય.
ટ્વીટ કરીને માહિતી આપી
સમગ્ર મામલે નાયબ મુખ્યંત્રીએ જાતે ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટીવ હોવાની જાણ કરી છે. પોસ્ટમાં તેમણે એવું લખ્યું છે કે તેમનામાં હળવા કોરોનાના લક્ષણો હતા. જેથી તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. જેના કારણે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ડૉક્ટરોની સલાહ લઈને તેઓ હોસ્પિટલમાં હાલ એડમીટ થઈ ગયા છે.
ગૃહમંત્રી અમિતશાહ પણ સંપર્કમાં હતા
વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે. તેઓ સ્વસ્થ છે કે નથી તે બાબતે તેમણે કાળજી લેવા માટે વિનંતી કરી છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે બનેલા કન્વેશન સેન્ટર ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ ખાતે નિરિક્ષણ કરવા ગયા હતા. તે સમયે તેમની સાથે ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી વિજયરૂપાણી પણ હાજર હતા.
સવારે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
તે સિવાય પણ તેઓ આજે સવારે કોવવડા ખાતે ઓકિસજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોચ્યા હતા. આ દરમિયાન પણ તેઓ ટોચના અધિકારીઓ અને રાજનેતાઓ સાથે સંપર્કમાં આવ્યા હતા. આ બાબતે પ્રદેશ પ્રમુથ સી.આર.પાટીલે પણ ટ્વીટ કરીને તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.અને કહ્યું કે તેઓ ગુજરાતની સેવામાં ઝડપથી પાછા ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરુ છું.
સંક્રમણ ભયંકર બેકાબૂ
ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો. તે સિવાય હાલ દેશમાં એટલો ખરાબ માહોલ છે કે રોજના 3 લાખ તરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સાથેજ ગુજરાતમાં પણ 12 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે કોરોનાનું સંક્રમણ અટકાવનું નામજ નથી લઈ રહ્યું જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે.