રાજ્યમાં કોરોના વાયરસના બેકાબૂ બનેલા કેસની સ્થિતિ સમયે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. આ અંગે કોર્ટે સરકારની અનેકવાર ઝાટકણી કાઢ્યા બાદ આજે આ આ મામલે સુનાવણી થઈ રહી છે. જે કોરોના અંગે થયેલી સુઓમોટોની અરજીનો મામલામાં આજે ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) માં સુનાવણી કરવામાં આવી છે.
કોર્ટે સરકારને આજની સુનાવણીમાં અત્યારસુધીમાં કેટલાક આકરા સવાલો પૂછ્યા છે. હાઇકોર્ટે સરકારને વેક્સીનેશન મામલે વેધક સવાલો પૂછ્યા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં રાજકીય મેળાવડા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટમાં સીનિયર વકીલ પર્સી કવિનાએ રજૂઆત કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે પરંતુ રિવરફ્રન્ટ પર 2 વ્યક્તિ પણ ઉભા ન રહી શકે.
હાઇકોર્ટમાં પર્સી કવિનાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો લગાવ્યા છે. જો કે સરકાર આ નિયમોનું પાલન સામાન્ય માણસ જોડે જ કરાવે છે. જો કે 2 દિવસ પહેલા જ એક ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય નેતા અને લોકોનું ટોળું એકઠું થયું હતું. તેમના માટે કોઈ પણ નિયમો લાગુ પડતા નથી. ત્યારે આવી બેદરકારી રાજ્ય સરકારને મોંઘી પડી શકે છે. ત્યારે આ અંગે હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે આ બાબતે અલગથી એફિડેવિટ ફાઇલ કરો અને તેની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આપણે નાના નહીં પરંતુ મોટા મેળાવળા રોકવાના છે જેથી સંક્રમણ વધુ ન ફેલાય.
આ ઉપરાંત એસોસિયેશન વતી પર્શિ કેવિનાએ રજૂઆત કરી છે કે, અમદાવાદમાં હોસ્પિટલ મામલે રિયલ ટાઈમ માહિતી આપવામાં આવતી નથી. અને આ કોરોના ગાઈડલાઈન સાથે સરકારે બીજા કેટલાક બિનજરૂરી નિયંત્રણો પણ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કે રિવરફ્રન્ટના પુલ નજીક ઉભા ન રહેવું, કારમાં એકલા બેસેલા વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવુ. જો કે કેન્દ્ર સરકારે હાલમાં જ સ્પોટ વેક્સીનેશનની મંજૂરી આપી છતાં રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખી રહી છે.
રસીકરણ
રાજ્યના 18 થી 45 વર્ષના લોકોને વેક્સીનેશન આપવા 6.5 કરોડ ડોઝ જરૂર પડે છે. વેક્સીનેશન મામલે કોર્ટે ટકોર કરતા કહ્યું કે, એપ્રિલમાં તમે ઓર્ડર આપ્યો, પણ અત્યાર સુધી શુ સ્થિતિ છે તે જણાવો. ત્યારે કમલ ત્રિવેદીએ જવાબમાં કહ્યુ કે, રોજના 2 લાખ જેટલું સરેરાશ વેક્સીનેશન કરવામાં આવે છે. આખા વિશ્વમાં 6 ઉત્પાદક વેક્સીન તૈયાર કરે છે. 6.5 કરોડ રસીના ડોઝ માટે ઓર્ડર અપાયા છે. ત્યારે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, કયા વય જૂથને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી. ક્યારે અને કેટલા ડોઝ આપશો તે જણાવો.
- હાઇકોર્ટે સરકારને સીધો સવાલ કર્યો કે, રસીના આર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી? રસીકરણમાં સ્પોટ રજીસ્ટ્રેશન માટે સરકારનું શું આયોજન છે?
- ઑનલાઇનની સાથે સ્પોટ રજિસ્ટ્રપેશનની સુવિધા પણ આપો, ઑનલાઇન રજિસ્ટ્રેશન હોવા છતાં વાલ કેવી રીતે વેડફાય છે.
- દર વખતે વેક્સિનેશનના સમયમાં શા માટે બદલાવ કરવામાં આવે છે. તમે ચોક્કસ વેક્સીનેશન માટે ગંભીર બનો.
- જેમને પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને બીજા ડોઝ માટે ક્યારે અપાયો તેના આંકડા આપો
રસીકરણ માટે રસીના ડોઝ મુજબ રજિસ્ટ્રેશન કરો છો? ત્યારે એડવોકેટ જનરલે ખાતરી આપતા કહ્યું કે, અમે સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરીશું. સાથે જ હાઈકોર્ટે એમ પણ સવાલો કર્યા કે, દર વખતે શા માટે વેક્સીનેશનના સમય બદલવામાં આવે છે. ત્યારે સરકાર વતી એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે, સમગ્ર વિશ્વમાં સમય બદલાયો છે, ગુજરાત માત્રમાં બદલાવ કર્યો તેવું નથી. ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે, શું આ બદલાવ પાછળ કોઈ તથ્યાત્મક કારણ ખરું.
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં રાહત મળી છે પરંતુ મ્યુકર્મામાઇકોસિસના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મહામારીની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે.
હાઇકોર્ટ: આ દેશમાં લોકોને ગમે તેટલું કહો તોય નિયમોનું પાલન નહીં કરે. કોઈ માસ્ક નહીં પહેરે, કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે. એટલે ત્રીજી વેવ નહીં ચોથી વેવ પણ આવશે અને આના માટે સરકારે જ તૈયાર રહેવું પડશે. આ દેશમાં કોઈ પણ હાથ સેનિટાઈઝ કરવામાં કે માસ્ક યોગ્ય રીતે પહેરવામાં માનતું નથી. તેથી સરકાર દર 6 મહીનાએ કોરોના ફેઝ આવશે તેવું માનીને તૈયારી કરે.