ગુજરાતના આ ગામમાં મંદિરમાં લાઉડસ્પીકર પર આરતી કરી રહેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી

ગુજરાતના મહેસાણાના એક ગામમાં એક હિંદુ મંદિરમાં લાઉડસ્પીકર વગાડવા બદલ બુધવારે 42 વર્ષીય વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર મારનારા તેના જ સમુદાયના કેટલાક સભ્યો હતા. એક અઠવાડિયામાં આ બીજો કિસ્સો છે જ્યારે ગુજરાતના મંદિરોમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને હિંસા ફાટી નીકળી હોય.

મહેસાણાની લાંગનાઝ પોલીસે જણાવ્યું કે મૃતક જસવંતજી ઠાકોર રોજીરોટી રળવા માટે મજુરી કરતો હતો. જસવંતના મોટા ભાઈ અજીતના નિવેદનના આધારે પોલીસે ગુરુવારે સદાજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર, બાબુજી ઠાકોર, જયંતિજી ઠાકોર, જવાનજી ઠાકોર અને વિનુજી ઠાકોર સામે હત્યાની ફરિયાદ નોંધી હતી.

જોટાણા તાલુકાના લક્ષ્મીપરા ગામના મુદરડા ટેબાવાલો ઠાકોરવાસમાં રહેતા અજીતે જણાવ્યું કે આ ઘટના બુધવારે સાંજે 7 વાગ્યે બની હતી. અજિતે પોલીસને જણાવ્યું કે, “જસવંત અને હું અમારા ઘરની નજીક મેલડી માતાના મંદિરમાં આરતી કરી રહ્યા હતા, અમે લાઉડસ્પીકર પર આરતી કરી રહ્યા હતા. તે સમયે સદાજી અમારી પાસે આવ્યા અને અમને પૂછ્યું કે અમે આટલા જોરથી લાઉડસ્પીકર કેમ વગાડો છો. અજિતે કહ્યું કે અમે આરતી કરી રહ્યા છીએ.

એફઆઈઆર મુજબ, જ્યારે બંને ભાઈઓએ વિરોધ કર્યો ત્યારે સદાજીએ તેના સહયોગીઓને બોલાવ્યા અને પાંચ લોકો સ્થળ પર પહોંચ્યા. અજિતે પોલીસને જણાવ્યું હતું કે, “પાંચ માણસો લાકડીઓ લઈને આવ્યા હતા અને અમારા બંને પર હુમલો કર્યો. અમારા 10 વર્ષના ભત્રીજાએ તેની માતાને ફોન કર્યો જેણે પોલીસને ઝઘડાની જાણ કરી.”

જસવંતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે અજીતને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. જણાવી દઈએ કે 2 મેના રોજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં 30 વર્ષીય ભરત રાઠોડ પર પણ હુમલો થયો હતો. કહેવામાં આવ્યું કે તે મંદિરમાં લાઉડસ્પીકર વગાડી રહ્યો હતો.

Scroll to Top