‘ગુલાબ’ બાદ હવે વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રમાં મચાવશે આતંક, ભારે અતિ ભારે વરસાદની શક્યતા

વાવાઝોડું ગુલાબ નો કહેર હજુ સમાપ્ત થઈ રહ્યો નથી ત્યાં જ નવું વાવાઝોડું ‘ શાહીન’ ના આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તોફાન ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનાર લોકો માટે ચિંતાનું કારણ બને તેવી શક્યતા છે. તેના પાછળનું કારણ એ છે કે, ‘શાહીન’ નામનું ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં ઉત્પન્ન થવાનું છે અને તેની મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે.

અત્યારે વાવાઝોડું ‘ગુલાબ’ ના કારણે મહારાષ્ટ્રમાં વિનાશ થયેલો છે. ‘ગુલાબ’ વાવાઝોડું હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયેલ છે. તે છત્તીસગઠ અને ઓડિશાના દક્ષિણી વિસ્તારોમાં પહોંચ્યું છે. આ લો પ્રેશર એરિયાની તૈયારીના કારણે સોમવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. માત્ર મરાઠાવાડા ક્ષેત્રની વાત કરવામાં આવે તો, અહીં 10 લોકોનો મોત પણ થયા છે. ઘણા પશુઓ તણાય ગયા છે અને ઘરો અને દુકાનમાં પાણી પણ ભરાયા છે.

જ્યારે શાહીન વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સક્રિય થઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યુ છે. તેમ છતાં આ સાયક્લોન બનશે તો તેનું નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ રહેશે નહીં. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરબી સમુદ્રમાં તેની અસર દેખાશે.

ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી 60 કિમીની ઝડપે અને આવતીકાલના 90 ની ગતિના પવન ફૂંકાઈ તેવી શક્યતા છે.

જેના કારણે માછીમારોને 4 દિવસ માટે દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. દરિયાઈ વિસ્તારોમા ભારે વરસાદ બન્યો રહેશે. તેની સાથે જ દરિયો તોફાની પણ રહેવાનો છે. 40 ની ગતિના પવનો અમદાવાદમાં પણ ફૂંકાઈ શકે છે પરંતુ અમદાવાદમાં કોઈ ખતરો રહેલો નથી. અમદાવાદના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી જોવા મળી છે પરંતુ ઉત્તર અમદાવાદમાં સામાન્ય વરસાદ બન્યો રહેશે.

જ્યારે આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતામાં વધારો થશે. આ કલાકોમાં, ભારતીય હવામાન વિભાગ દ્વારા મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. ચિંતાની વાત એ પણ છે કે, આ વાવાઝોડું ફરી એક વખત નવા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. એટલે કે, નવો જન્મ થશે. મહારાષ્ટ્ર અને ગુજરાત માટે આ ખૂબ જ ચિંતાનો વિષય બની શકે છે.

Scroll to Top