આવતી કાલથી શરૂ થઈ રહી છે નવરાત્રી 2021, તેના અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું

હાલના સમયે ફેસ્ટિવલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે. તે જ બાબતમાં આવતીકાલથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી છે. તેમ છતાં કોરોના મહામારીને જોતા સરકાર દ્વારા તમામ સતર્કતા રાખવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવરાત્રિમાં ગરબે ઘુમવા માટે કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એવામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

આ બાબતમાં હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન માત્ર રાજ્યમાં કોમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. શેરી ગરબામાં માત્ર 400 ની મર્યાદામાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. તેની સાથે પવિત્ર યાત્રાધામોમાં માત્ર એક દિવસ જ ગરબા રમાવવાના છે. જ્યારે ગરબા રમવા માટે કોરોનાની રસી ફરજીયાત છે.

રાજ્ય સરકાર દ્વારા ભલે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોસાયટીમાં આયોજિત ગરબામાં 400 લોકોની મંજૂરી આપવામાં આવ્યું, પરંતુ ગયા શનિવારના ગૃહ વિભાગ દ્વારા તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ગરબા, દુર્ગા પૂજા, શરદ પૂનમ અને દશેરા જેવા તહેવારો મનાવતા પહેલા વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી કરી દેવાયા છે.

ગુજરાતમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ માટે કોરોનાની રસીના બન્ને ડોઝ લેવા ફરજિયાત રહેશે. તેની સાથે તમામ જાહેર સ્થળો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સખ્તીથી પાલન કરવું પડશે. તેના માટે પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને પણ જરૂરી આદેશ આપી દેવાયા છે. હાલ સરકાર દ્વારા કોરોના મહામારીને લઈને કોઈ જોખમ લેવા માંગી રહ્યું નથી. આજ કારણોસર પાર્ટી પ્લોટ, કલ્બ અને ખુલ્લી જગ્યાઓ પર ગરબાના આયોજન પર રોક લગાવી દેવાઈ છે.

Scroll to Top