હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા આપ નેતા મહેશ સવાણીની તબિયત લથડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

હેડક્લાર્ક ભરતી કૌભાંડના મુદ્દાએ ગુજરાતનું રાજકારણમાં ગરમાયેલું છે. તેમાં પણ ખાસકરીને આમ આદમી પાર્ટી દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં આ કૌભાંડના સામે ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી દુર કરવા માટે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવા માટે આપ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમ છતાં આ અભિયાન અંતર્ગત આપના નેતાઓ દ્વારા પહેલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જ્યારે હવે આપ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે. આ મામલે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર રહેલા છે. ગઇકાલના મહેશ સવાણીની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જ્યારે મહેશ સવાણીના ખરાબ હાલતને જોતા હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને ઉપવાસ તોડીને આહાર અથવા થોડુ પ્રવાહી લેવા માટે આજીજી કરાઈ રહી છે. તેમ છતાં સવાણી પોતાનાં ઉપવાસ યથાવત્ત રાખવાની વાત પર અડગ રહેલા છે. જેના લીધે હાલ સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. તંત્ર પણ આ સમગ્ર મુદ્દે ખુબ જ ચિંતિત બન્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સતત તેમને અનાજ લેવા માટે વિનંતી કરાઈ રહી છે. તેમ છતાં મહેશ સવાણી પોતાની જીદ્દ પર અડગ રહેલા છે. જેના લીધે હાલ કાર્યકર્તાઓ દ્વારા પણ સરકાર ઝડપથી કોઇ ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, કાલે જ આમ આદમી પ્રદેશ કાર્યાલય ખાતે મહેશ સવાણીનું રૂટિન હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શુગર લેવલ ઘટી જતા તેમને તાત્કાલિક એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મહેશ સવાણી હેડક્લાર્ક પેપરલીક મુદ્દાને લઈને પ્રભારી ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેનને હટાવામાં નહી આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે.

Scroll to Top