વરસાદના કારણે ખરાબ થઇ ગયું છે તમારું પેટ? તો આ વસ્તુઓનું કરો સેવન

tummy pain

ચોમાસું ગરમીથી રાહત તો આપે છે પણ સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. ચોમાસામાં લોકોને વાળ અને ત્વચાને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિ પણ વીક પડી જાય છે. આ કારણે આપણે જે પણ ખાઈએ છીએ અને પીએ છીએ તે બરાબર પચતું નથી. આવી સ્થિતિમાં ઘણી વખત આપણને પેટ ખરાબ થવા જેવા લક્ષણોથી પરેશાન થવું પડે છે. પરંતુ જો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો, તો તમે પેટને ઠીક કરવામાં મદદ કરી શકો છો. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે જો તમારું પેટ ખરાબ હોય તો તમારે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ? ચાલો જાણીએ.

પેટ ખરાબ થવા પર આ વસ્તુઓનું સેવન કરો-

દહીં
દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચોમાસામાં દહીં હંમેશા પેટને સ્વસ્થ રાખી શકે છે. જો તમારું પેટ ખરાબ હોય તો પણ તમે દહીંનું સેવન કરી શકો છો.આપને જણાવી દઈએ કે દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. સારા બેક્ટેરિયા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે તમે લંચમાં દહીંનું સેવન કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે તમારે રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.

લીંબુ પાણી
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીંબુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે પાચનશક્તિને પણ મજબૂત બનાવે છે. સાથે જ ચોમાસામાં પેટ ખરાબ થવા પર તમે લીંબુ પાણી પી શકો છો. લીંબુ પાણી શરીરને ઠંડુ કરે છે અને તે શરીરને હાઇડ્રેટ પણ કરે છે.

કેળા
કેળા એક સુપરફૂડ છે. તેને ખાવાથી તમે લાંબા સમય સુધી ઉર્જાવાન રહી શકો છો. એટલું જ નહીં, કેળા પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આવી સ્થિતિમાં જો કેળા ચોમાસામાં ખાવામાં આવે તો પાચનક્રિયા સારી બને છે. તમને જણાવી દઈએ કે કેળા કબજિયાતથી બચાવે છે.

Scroll to Top