કોરોના કેસમાં ઘટાડા બાદ હવે મોતના આંકડામાં વધારો, અમદાવાદીઓ ચેતી જજો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,974 નવા કેસ નોંધાયા છે.જ્યારે  આજે 21,655 દર્દીઓ સાજા થયા છે.ત્યારે આજે કોરોનાથી 33 મોત નીપજ્યા છે. રાજ્યમાં એક્ટીવ કેસ 98021 છે. તો આજે કોરોના વેક્સિનના 2.13 લાખ ડોઝ અપાયા છે અને અત્યાર સુધી કુલ 9.75 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

અમદાવદ શહેરમાં 3990, વડોદરા શહેરમાં 1816, રાજકોટ શહેરમાં 716, સુરત શહેરમાં 511, વડોદરા જિલ્લામાં 441, સુરત જિલ્લામાં 368, ગાંધીનગર શહેમરાં 326, મહેસાણામાં 313, પાટણમાં 280, રાજકોટમાં 266, કચ્છમાં 263, જામનગર શહેરમાં 214, ભરૂચમાં 207, ભાવનગર શહેરમાં 203, બનાસકાંઠામાં 191, ગાંધીનગરમાં 161, આણંદમાં 151, વલસાડમાં 151 નવા કેસ નોંધાયા છે.

તો ખેડામાં 140, મોરબીમાં 121, સાબરકાંઠામાં 121, નવસારીમાં 116, સુરેન્દ્રનગરમાં 91, જામનગરમાં 88, અમદાવાદ જિલ્લામાં 76, પંચમહાલમાં 75, તાપીમાં 53, મહીસાગરમાં 40, દાહોદ, જૂનાગઢ જિલ્લામાં 39-39, જૂનાગઢ શહેરમાં 33, અમરેલી, ગીરસોમનાથમાં 31-31, ભાવનગરમાં 27, નર્મદામાં 24, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 16, અરવલ્લીમાં 185, ડાંગમાં 12, બોટાદમાં 10, પોરબંદરમાં 6, કુલ આજે 11794 કેસ નોંધાયા છે.

Scroll to Top