આ અભિનેત્રીને થયો કોરોના, પિતાના અવસાન બાદ વધુ એક ઝટકો

સમગ્ર દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર ખૂબ જ ભયાનક બની છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ અસર થઈ રહી છે. બોલીવુડના કલાકારો કોરોના વાયરસથી સંક્રમિત થવાનો સિલસિલો ચાલુ છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.કે. માધવન પછી પરેશ રાવલ, આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, પૂજા હેગડે અને કુમુદ મિશ્રા બાદ હિના ખાન કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

તેમણે છ દિવસ પહેલા પોતાના પિતાને ગુમાવ્યા હતા. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેની સાથે તેમણે સંપર્કમાં આવેલ લોકોથી કોરોનાના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક સમય છે, હું COVID-19 ની સંક્રમિત થઈ ગઈ છુ. ડોકટરોના માર્ગદર્શન હેઠળ, હું ઘરમાં કોરેનટાઈન અને તમામ જરૂરી પ્રોટોકોલોનું પાલન કરી રહી છુ. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને વિનંતી કરું છુ કે તેઓની કોરોના ટેસ્ટ કરાવી લે મને તમારી પ્રાર્થનાની જરૂરીયાત છે, સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો. આમિર અલી, ટીના દત્તા, સુરભી ચંદના, વિકાસ કાલાંતરી, અમૃતા ખાનવિલકર, પૂજા બેનર્જી, મોનાલિસા, રોહન મેહરા સહિત ઘણા કલાકારોએ તેની શુભકામના પાઠવી છે અને તેમને હિંમત પણ આપી છે.

20 એપ્રિલના રોજ હિના ખાનના પિતાનું નિધન થયું હતું. ઇટાઇમ્સના અહેવાલ મુજબ, હિના ખાનના પિતા હાર્ટએટેક કારણે મોત નીપજ્યું હતું. હિના ખાન, જે કામના સિલસિલામાં કાશ્મીરમાં હતી, તેમના પિતાના અવસાનના સમાચાર મળ્યા બાદ મુંબઇ રવાના થઈ ગઈ હતી. હિના ખાન તેના પિતાની ખૂબ જ નજીક હતી. તે હંમેશાં સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે ખાસ પળો શેર કરતી હતી. અભિનેત્રીને ચાહકો સાથે તેના પારિવારિક જીવનની એક ઝલક જોવાનું પસંદ કરે છે.

Scroll to Top