BusinessIndiaNews

અદાણીના જવાબ પર હિંડનબર્ગનો પલટવાર- તિરંગામાં લપેટાઈને ભારતને લુંટયું

અદાણી ગ્રૂપે રવિવારે ન્યૂયોર્ક સ્થિત હિંડનબર્ગ રિસર્ચના 413 પાનાના અહેવાલનો જવાબ આપ્યો હતો. બીજી તરફ, આના એક દિવસ પછી, સોમવારે સવારે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર વળતો પ્રહાર કર્યો હતો. હિન્ડેનબર્ગ રિસર્ચે સોમવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાષ્ટ્રવાદના નામે છેતરપિંડી છુપાવી શકાતી નથી. હિંડનબર્ગે અદાણી જૂથના જવાબને ‘બ્લોટેડ રિસ્પોન્સ’ ગણાવ્યો હતો.

અદાણી જૂથ દેશને વ્યવસ્થિત રીતે લૂંટી રહ્યું છે

હિન્ડેનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે તે માને છે કે ભારત એક જીવંત લોકશાહી છે અને રોમાંચક ભવિષ્ય સાથે ઉભરતી મહાસત્તા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે એ પણ માનીએ છીએ કે અદાણી જૂથ દ્વારા ભારતનું ભવિષ્ય રોકી દેવામાં આવ્યું છે. આ જૂથે પોતાને ભારતીય ધ્વજમાં લપેટી લીધું છે અને દેશને વ્યવસ્થિત રીતે લૂંટી રહ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “કલાકો પહેલા અદાણીએ ‘413 પેજનો પ્રતિસાદ’ જારી કર્યો હતો. તે સનસનાટીભર્યા દાવા સાથે શરૂ થયું કે અમે “મેનહટનના મેડઓફ્સ” છીએ. તેણે સંભવિત મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પણ પ્રયાસ કર્યો અને તેના બદલે રાષ્ટ્રવાદી કથાને વેગ આપ્યો, અને દાવો કર્યો કે અમારો અહેવાલ ‘ભારત પર આયોજિત હુમલો’ હતો. ટૂંકમાં, અદાણી જૂથે તેના ઉલ્કા ઉદય અને તેના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિને ભારતની સફળતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. અમે આ સાથે અસંમત છીએ.

હિંડનબર્ગ રિસર્ચે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારત એક જીવંત લોકશાહી છે અને રોમાંચક ભવિષ્ય સાથે ઉભરતી મહાસત્તા છે. અમારું એ પણ માનવું છે કે અદાણી જૂથ દ્વારા ભારતનું ભવિષ્ય અટકી રહ્યું છે, જેણે દેશને વ્યવસ્થિત રીતે લૂંટીને પોતાને ભારતીય ધ્વજમાં લપેટી લીધો છે.”

અદાણી ગ્રુપ તરફથી 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું હતું કે અમારા રિપોર્ટમાં અદાણી જૂથને 88 ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જવાબમાં, અદાણી તેમાંથી 62ના જવાબો આપવામાં નિષ્ફળ ગયા. જણાવી દઈએ કે અદાણી જૂથે રવિવારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી. અદાણી ગ્રૂપે તેની કંપનીઓ સામેના આરોપોની તુલના “ભારત પર આયોજિત હુમલા” સાથે કરી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker