મધ્યપ્રદેશથી એક મેનેજર દ્વારા આત્મહત્યા કરવાની એક ઘટના સામે આવી છે. જયારે તેમાં જાણવા મળ્યું છે કે, મધ્યપ્રદેશમાં નોકરી કરનાર યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેમાં પણ થોડા દિવસ પહેલા રાજુનામું આપ્યું અને પછી આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ખાનગી કંપનીમાં એચઆર મેનેજર તરીકે કામ કરનાર યુવતીએ આત્મહત્યા કરી હોવાની જાણકારી સામે આવી છે. સતનામાં રહેનાર યુવતી ઈન્દોરની એક જાણીતી કંપનીમાં કામ કરતી હતી અને ત્રણ દિવસ અગાઉ તેને નોકરીથી રાજીનામું આપી દીધું હતું. સમગ્ર ઘટના અંગે મૃતક યુવતીના પરિવારના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે પોતાની નોકરીને લઈને તણાવમાં રહેલી હતી. પોલીસ હાલ આત્મહત્યાના કેસ તરીકે તેની તપાસ શરુ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક યુવતીની ઓળખ શાલુ નિગમ તરીકે કરવામાં આવી છે. શાલુ નામની યુવતી લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નરીમાન પોઈન્ટમાં વસવાટ કરતી હતી. તેને ઘરમાં આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. તે ઇન્દોરની જાણીતી કંપની દેવ એગ્રો કેમિકલ્સમાં એચઆર મેનેજર તરીકે કામ કરી રહી હતી. તેના દ્વારા ત્રણ દિવસ અગાઉ જ કંપનીમાંથી રાજીમાનું આપવામાં આવ્યું હતું.
જ્યારે શાલુ તેની નાની બહેન સાથે વસવાટ કરતી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તે જ કંપનીમાં કામ કરી રહી હતી. તેમ છતાં ઘટના સમયે તે ઘરમાં એકલી જ હતી. સાંજે નાની બહેન ઘરે આવી ત્યારે તેણે શાલુનો મૃતદેહ જોઈને બૂમાબૂમ કરવા લાગી હતી. નાની બહેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે ટીમ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એમવાય હોસ્પિટલમાં મોકલીને આપઘાતની દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી.
તેની સાથે યુવતીના પરિવારના સભ્યો દ્વારા નોકરીમાં ટેન્શનના હોવાના કારણે તેના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને કંપનીના કર્મચારીઓ પર આરોપ પણ લગાવ્યો છે. છોકરીના મામા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે ઓફિસમાં કંઇક બાબતે ચિંતિત રહેતી હતી. તેમ છતાં કંપનીના ડિરેક્ટરે કહ્યું છે કે, યુવતીએ ત્રણ-ચાર દિવસ પહેલા રાજીનામું આપવામાં આવ્યું હતું, પરંતુ તેના માટે તેણીએ કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તે આ બાબતની વધુ તપાસ કરી રહ્યા છે.