બિહારના નાલંદામાં લગ્ન દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં સાસરિયાઓએ જમાઈનું અલગ રીતે સ્વાગત કર્યું છે. હકીકતમાં લગ્ન સમારોહ દરમિયાન સાસરિયાઓ પાસેથી મેળવેલા કપડાં પહેર્યા ન હોવાને કારણે જમાઈને માર માર્યો હતો. ઘટના જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા મણિરામ અખાડાની છે. જ્યાં લગ્ન દરમિયાન દહેજમાં તિલકનું કપડું ન પહેરવાથી વરરાજા અને તેના પરિવાર પર દુલ્હનની પરિવારજનો તૂટી પડ્યા હતા.
તિલકમાં મળેલા કપડા ન પહેરવા બદલ વરરાજાની ધોલાઇ
ખરેખરમાં વરરાજા સૂરજ કુમારના લગ્ન મણિરામ અખાડામાં થઈ રહ્યા હતા. સૂરજ દીપનગરથી શોભાયાત્રા સાથે મણિરામ અખાડા પહોંચ્યો હતો. લગ્નની તમામ તૈયારીઓ ચાલી રહી હતી. લગ્નની વિધિ પણ ચાલી રહી હતી, આ દરમિયાન યુવતીના પક્ષના લોકોએ વરરાજાને દહેજના કપડાં પહેરવા કહ્યું. પરંતુ જ્યારે વરરાજાએ કપડાં પહેરવાની ના પાડી તો યુવતીના પક્ષના લોકોએ વરરાજાને મારવાનું શરૂ કર્યું.
બચાવવા આવેલા માતા અને ભાઈને પણ બેફામ માર માર્યો હતો
આ ઘટના દરમિયાન જ્યારે વરરાજાની માતા અને તેનો પરિવાર બચાવમાં આવ્યો ત્યારે તેઓએ તેને પણ માર માર્યો હતો. મારામારીમાં માત્ર વરરાજા જ નહીં પરંતુ તેની માતા, વરરાજાના ભાઈ અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ રીતે વરરાજા લગ્ન કરવા ગયો હતો પરંતુ લગ્ન પહેલા જ સારવાર માટે સદર હોસ્પિટલ પહોંચી ગયો હતો. આ બાબતના કારણે કલાકો સુધી લગ્નમાં વિક્ષેપ પડયો હતો અને ઘણી જહેમત બાદ લગ્ન સંપન્ન થયા હતા.