પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર, પત્રમાં મોદી સરાકરને આપી આ 5 સલાહ

કોરોનાની બીજી લહેર ભારત માટે સૌથી ઘાતક સાબિત થઈ છે વધતા જતા કોરોનાને કારમે અર્થવ્યવસ્થા ખોરવાઈ રહી છે સાથેજ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં પણ અટળકો આવી રહી છે ત્યારે આવા સમયે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પોતાની ચૂપી તોડી છે તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વેક્સિનેશન મામે માહિતગાર કર્યા છે.

મનમોહનસિંહે વડાપ્રધાન  મોદીને સલાહ આપી છે કે વેક્સિનેશન હવે ઝડપથી થવું જોઈએ સાથેજ તેમણે કહ્યું કે વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન મંગવવાના ઓર્ડર આપી દેવા જોઈએ અને પરિસ્થિતીને અનુલક્ષીને તેમણે વડાપ્રધાનને પાચ સલાહ આપી છે.

પહેલી સલાહ

પહેલી સલાહ મનમોહનસિંહે એવી આપી છે કે વેક્સિનના ડોઝના ઓર્ડર કેટલા આપવામાં આવ્યા છે તે લોકોને જણાવવું જોઈએ સાથેજ તેમણે કહ્યું કે 6 મહિનામાં લોકોને વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, આ માટે તેમણે કહ્યું કે આપણે એડવાન્સમાં વેક્સિનના ઓર્ડર આપી દેવા જોઈએ જેથી વેક્સિનની સપ્લાયમાં કોઈ મુશ્કેલી ન આવે.

બીજી સલાહ

બીજી સલાહ તેમણે એવી આપી કે કેન્દ્ર સરકારે એવું જણાવવું જોઈએ કે દરેક રાજ્યોને વેક્સિન કેવી રીતે આપવામાં આવશે સાથેજ 10 ટકા જેટલો વેક્સિનનો જથ્થો દરેક રાજ્યોને ઈમરજન્સી તરીકે આપી દેવો જોઈએ જ્યારે આટલો જથ્થો દરેક રાજ્યોમાં પહોચી જાય ત્યારે તેમણે આગળની સ્પલાય શરૂ કરી દેવી જોઈએ જેથી લોકોને તકલીફ ન પડે.

ત્રીજી સલાહ

ત્રીજી સલાહ તેમણે એવી આપી કે છે કે હવે 45 વર્ષથી ઓછા ઉંમરના લોકોને પણ હવે વેક્સિન મળવી જોઈએ તેમા પણ ફ્રન્ટલાઈન વર્કરની સંખ્યા હવે વધારવી જોઈએ, જેમા શિક્ષકો તેમજ બસ ટેક્સી ચલાવનનારા અને નગરાપાલિકાના તેમજ પંચાયતના સભ્યોને પણ ફ્રન્ટ લાઈન વર્કર જાહેર કરવા જોઈએ. જેથી વેક્સિનેશન પર ભાર મુકી શકાય.

ચોથી સલાહ

ચોથી સલાહ આપતા મનનમોહન સિંહે એવું કહ્યું છે કે ભારતમાં વેક્સિનનું ઉત્પાદન મોટા પાયે થાય છે જેથી ઉત્પાદકોને પણ ઉત્પાદન વધારવા માટે મદદ કરવી જોઈએ કાયદામાં સુધારા વધારા કરીને તેમને લાયસન્સ આપીને ઉત્પાદન વધારવું જોઈએ અગાઉ પણ આવું એઈડ્સ જેવી બિમારી સામે લડવા માટે કરવામાં આવ્યું હતું.

પાંચમી સલાહ

મનમોહનસિંહે પાંચમી અને અંતિમ સલાહ એવી આપી છે કે સ્વદેશી વેક્સિનનો જથ્થો હાલ મર્યાદિત છે જેથી આવા સંજોગોમાં વિદેશી વેક્સનને પણ ટ્રાયલ વગર મંજૂરી આપી દેવી જોઈએ, ઈમર્જન્સીની સ્થિતીમાં નિષ્ણાંતોનું પણ આ પગલાને યોગ્ય માની રહ્યા છે પરંતુ સાથેજ તેમણે એવું પણ કીધું હતું કે સુવીધા નિશ્ચિત સમય સુધી રાખવામાં આવે.

Scroll to Top