ટીમ ઇન્ડિયાના પસંદગીકારોએ શિખર ધવનને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવ્યો છે. સાથે જ વાઇસ કેપ્ટનશિપની જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે, પરંતુ એક એવો સ્ટાર ખેલાડી છે જેને પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યો છે, જે કેપ્ટન બનવાનો દાવેદાર હતો, પરંતુ કેપ્ટનશિપ તો દૂર આ ખેલાડીને ટીમમાં સ્થાન પણ નથી મળ્યુ.
આ ખેલાડીની અવગણના કરી
હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ પસંદગીકારોએ તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો નથી, ટીમ ઈન્ડિયામાં પણ નથી. જ્યારે હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ હાર્દિકની કેપ્ટનશીપમાં આયર્લેન્ડના પ્રવાસ પર શ્રેણી 2-0થી જીતી હતી. તે ડીઆરએસ લેવામાં પણ માહેર બની ગયો છે અને તે બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરે છે.
IPLમાં તાકાત બતાવી
IPL 2022 માં ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટાઇટલ જીત્યું હતું. હાર્દિક મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલમાં મેદાન પર નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે. તે ખેલાડીઓ તરફથી વિરોધી ટીમ પર દબાણ લાવવા માટે વચ્ચે વચ્ચે યોજનાઓ પણ તૈયાર કરતો રહે છે. હાર્દિક પંડ્યા નીચલા ક્રમમાં આવતા વિસ્ફોટક બેટિંગમાં માહેર ખેલાડી છે. તેમ છતાં પસંદગીકારો તેને વનડે ક્રિકેટમાં તક આપી રહ્યા નથી.
1 વર્ષથી છે બહાર
હાર્દિક પંડ્યા તેની જોરદાર બેટિંગ અને કિલર બોલિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ તે છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેણે તેની છેલ્લી ODI મેચ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી. હાર્દિક પંડ્યાએ ભારત માટે 62 વન-ડે માં 1267 રન અને 56 વિકેટ લીધી છે.
ધવનને બનાયો કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતે 22 થી 7 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ T20 મેચોની શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવનને વનડે મેચ માટે બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યા જ રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમઃ
શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ઘ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ