‘હું ગાઉં છું પણ લગ્નોમાં નહીં’ સાંભળીને ટીવી એક્ટ્રેસ પર ગોળીઓ ચલાવી દીધી

ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અમરીન ભટ્ટને જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળીઓથી છલ્લી કરી નાંખી હતી. તેની સાથે ઉભેલા સગીર ભત્રીજાને પણ આતંકીઓએ ગોળી મારી દીધી હતી. માસૂમ હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે બીજા દિવસે જ એન્કાઉન્ટરમાં હત્યારા આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

અમરીનની મોટી બહેને જણાવ્યું કે બુધવારે (25 મે) સાંજે લગભગ 7.55 વાગ્યે બે આતંકવાદીઓ તેના ઘરે આવ્યા હતા. પરિવારના સભ્યોને પ્રાર્થના અને સલામ કર્યા પછી તેમણે અમરીનને મળવા માટે બહાર બોલાવી હતી. આતંકવાદીઓએ અમરીનને લગ્નમાં ગીત ગાવા માટે 3 દિવસ માટે જવા કહ્યું હતું. આના પર અમરીને સ્પષ્ટ કહ્યું, “હું ગીતો ગાઉં છું, પરંતુ લગ્નોમાં નહીં.” કદાચ આતંકવાદીઓ ખાતરી કરવા માંગતા હતા કે આ એ જ અમરીન છે. પછી શું હતું, આ પછી આતંકવાદીઓએ અમરીન પર ગોળીબાર કર્યો હતો.

અમરીન સાથે તેનો 10 વર્ષનો ભત્રીજો પણ હતો. કાયર આતંકવાદીઓએ તેને પણ છોડ્યો ન હતો. હુમલાખોરો માસૂમને મારવા ઘરની અંદર ઘૂસી ગયા હતા. બાળકને ખભામાં ગોળી વાગી છે, જે હવે હોસ્પિટલમાં દાખલ છે.

અમરીન ઘરનો સહારો હતી

અમરીનની માતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું. પિતા માટે તે પુત્રી ન હતી, પરંતુ પુત્ર હતી. જે એક્ટિંગ દ્વારા ઘરમાંથી ગુજરાન ચલાવતી હતી. અમરીનની આવકથી આખું ઘરનું ગુજરાન ચાલતું હતું.

ખરેખરમાં થોડા દિવસો પહેલા અભિનેત્રી અમરીને એક યુટ્યુબ ચેનલ ખોલી હતી. અમરીન વિશે પણ આ જ વાત આતંકવાદીઓ સુધી પહોંચી, કારણ કે તેમની વિચારસરણી, તેમના વિચારો આ આતંકવાદીઓના વલણ સાથે મેળ ખાતા નથી.

શું છે સમગ્ર મામલો

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે, આતંકવાદીઓએ અમરીન નામની મહિલા પર જિલ્લાના ચદૂરા વિસ્તારમાં હુશરૂ ખાતે તેના ઘર નજીક ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અમરીન ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને ચદૂરા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ હુમલામાં ઘાયલ મહિલા અમરીનનો સગીર ભત્રીજો ફરહાન ઝુબેર પણ ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે.

Scroll to Top