આજે અયોધ્યા રામ મંદિર ને લઈ ને અંતિમ સુનાવણી કોર્ટ જાહેર કરવાની છે.70 વર્ષોથી જેની ભારે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સંવેદનશીલ એવા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે 5 જજોની પીઠના નિર્ણયને વાંચવાનું શરૂ કરી દીધું છે.અને આ મુદ્દે અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે.આ ભૂમિ વિવાદમાં જજ એક એક કરીને પોતાનો નિર્ણય સંભળાવશે.જ્યારે અયોધ્યા રામ મંદિર પર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
પરંતુ એ જાણવુ જરૂરી છે કે,, સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ જે નિર્ણય સંભળાવવા જઈ રહી છે તે 2.77 એકર જમીન સાથે જોડાયેલો છે.આ જમીન કોના પક્ષ માં જશે તેના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટ જમીનના આ ભાગનો માલિકી હક આજે નક્કી કરશે.આ જમીન કોના પક્ષમાં જવાની છે આજે સુપ્રીમ કોર્ટ નક્કી કરવાની છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિર્ણય વાંચવાનો શરૂ કરી દીધો છે. શિવા વિરૂદ્ધ સુન્નીમાં એક મતથી નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શિયા વક્ફ બોર્ડની અપીલ ફગાવી દેવામાં આવી છે.
સાથે જ સુપ્રીમ કોર્ટે આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના આ જગ્યાએ મંદિર હોવાના રિપોર્ટને સ્વિકાર્યો છે. સાથે જ કોર્ટે એ પણ સ્વિકાર્યું છે કે, બાબરી મસ્જિદ ખુલી જગ્યા પર નહોતી મળી. જમીનની અંદરથી મળેલા મંદિરના બાંધકામના પુરવાને પણ સુપ્રીમ કોર્ટે સ્વિકાર કર્યા છે.
આ ઉપરાંત સાથે જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીસે એમ પણ કહ્યું છે કે, મુસ્લિમો પાસે જમીનનો વિશેષ કબ્જો નથી.મુસ્લિમો પાસે આ જનીન નો કોઈ હક નથી,અંગ્રેજોના સમય સુધી અહીં નમાઝ અદા કરવામાં આવતી હતી તેના પણ કોઈ જ પુરાવા નથી તેમ મુખ્ય ન્યાયાધીશે નોંધ્યુ છે.અને મુસ્લિમો ને આ જમીન પર હક નથી તેમ પણ જણાવ્યું હતું.સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે,માળખુ તોડવું તે પણ એક ગુનો હતો.આમ સુપ્રીમ કોર્ટ એ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ પછી સુપ્રીમ કોર્ટ એ અયોધ્યા રામ મંદિર કેસનો અંત આવ્યો હતો.આ તમામ મુદ્દાઓ ને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટ એ અયોધ્યા ની વિવાદિત જમીન રામલાલને આપવામાં આવી છે અને મુસ્લિમોને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવાનું નક્કી કર્યું છે.