બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ સામે મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક તરફ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં એક ટીવી એડના કારણે આલિયા ભટ્ટ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આલિયા ભટ્ટ દ્વારા એક ક્લોધિંગ બ્રાન્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કન્યાદાનની પરંપરા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા આલિયા ભટ્ટ અને ક્લોધિંગ બ્રાન્ડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કેસ દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે.
જયારે ‘કન્યાદાન’ વાળી જાહેરાતને લઈને છેલ્લા થોડા દિવસો વિવાદ ઉભો થયેલો છે. સમાજના એક વર્ગને ‘કન્યાદાન’ ને બદલીને ‘કન્યામાન’ કરવા પર આપત્તિ રહેલી છે. ફરિયાદી દ્વારા પોતાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આલિયા ભટ્ટનીઓ આ જાહેરાત હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનાર છે કેમકે તેમાં કન્યાદાનને પ્રતિગામી દર્શાવવામાં આવેલ છે. જેના લીધે બ્રાઈડલ વેર કંપની અને આલિયા ભટ્ટ સામે કેસ દાખલ કરવો જોઈએ.
આલિયા દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં દુલ્હન રૂપમાં જોવા મળી છે. તે લગ્નમંડપમાં બેઠેલી છે. આ દરમિયાન તે પોતાના ઉછેર અને પેરેન્ટ્સ વિશે વાત જણાવે છે. તેની સાથે જ કન્યાદાનની પરંપરા અંગે પોતાનો અભિપ્રાય પણ આપે છે. તે જણાવે છે કે, કન્યાદાનને બદલે કન્યામાન કરવું જોઈએ.
આ જ એડ ટીવી પર આવતા સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ટીકા શરૂ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક ધર્મમાં કુરિવાજો રહેલા હોય છે પરંતુ હાથે કરીને માત્ર હિંદુ ધર્મ પર નિશાન સાધવામાં આવતું હોય છે.
પર્સનલ ફ્રંટની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ દ્વારા બુધવારના જ જોધપુરથી પાછી આવેલ છે. રણબીર કપૂરનો બર્થ ડે ઉજવવા માટે તેઓ જોધપુર ગયેલા હતા. બોયફ્રેન્ડ રણબીર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરીને આલિયા ભટ્ટની વાત કરવામાં આવેલ તે બુધવારના મુંબઈ પરત આવી હતી. રણબીર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ રહેલી કે, આ વર્ષે કપલ લગ્ન કરી લેશે. તેમ છતાં બંનેના પરિવારો તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.