દુ:ખદ: તિતલી અને મુક્તિ ભવનના અભિનેતા લલિત બહલનું કોરોનાને કારણે થયું નિધન

દેશમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને લોકો તેનો શિકાર થઈ રહયા છે. મનોરંજન જગતથી પણ લગભગ પ્રતિદિન કોઈ સ્ટાર્સના અવસાન ના સમાચાર સામે આવતા રહે છે. તાજેતરમાં અનુભવી અભિનેતા અને નિર્માતા લલિત બહલની કોવિડ-19 ના સંક્ર્મણના કારણે\કારણે મોત નીપજ્યું છે. તેમના પુત્ર નિર્દેશક કાનુ બહલે આ વાતની જાણકારી આપી છે.

બહલે ‘તિતલી’ અને ‘મુકિત ભવન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 71 વર્ષીય અભિનેતા છેલ્લા અઠવાડિયે કોવિડ-19 થી પીડિત હોવાની જાણકારી મળી હતી અને તેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને ત્યાં અંતિમ શ્વાસ લીધા હતા.

કાનુએ જણાવ્યું છે કે, “શુક્રવારના બપોરે તેમનું નિધન થઈ ગયું છે. તેમને પહેલા હ્રદય સંબંધી સમસ્યા હતી અને કોવિડ પણ હતો, આ કારણ તેમની તબિયત બગડી ગઈ હતી. તેમના ફેફસામાં સંક્રમણ હતું, જે બાદમાં બગડી ગયો હતો. તેમની જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમની તબિયત વધુ બગડી ગઈ હતી.

રંગ મંચના પ્રતિષ્ઠિત કલાકાર લલિતે દૂરદર્શનની ટેલીફિલ્મોમાં ‘તાપીશ’, ‘આતિશ’, ‘સનહરિ જિલ્દ’ ના નિર્દેશન-નિર્માણની સાથે અને ટીવી શો ‘અફસાને’ ના અભિનેતાના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તાજેતરના વર્ષોમાં 2014 માં તેમને પોતાના પુત્ર નિર્દેશનમાં બનેલ ડ્રામા ‘તિતલી’, ‘મુક્તિ ભવન’, ‘એમેઝોન પ્રાઈમ વિડીયોની સિરીઝ ‘મેડ ઈન હેવેન’ અને ‘જજમેન્ટલ હૈ કયા” માં કામ કર્યું હતું,

Scroll to Top