ભારી કરી! હાથીએ પોતાના મહાવતને પછાડીને મારી નાખ્યો, પોલીસ હાથીને પકડીને ચોકીએ લઈ આવી

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગુસ્સે થયેલા હાથીએ મહાવતને મારી નાખ્યો. બીજા મહાવત સાથીઓની સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હાથીને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ.

છોલા મંદિર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ભોપાલ ભાનુપુર બ્રિજ નજીકની આ ઘટના છે. બુધવારે રાતના સતના જિલ્લાના રહેવાસી નરેન્દ્ર કાપડિયાને પાલતૂ હાથીને સૂંઢ વડે પછાડીને અને પછી ઢસડીને પગથી કચડીને મારી નાખ્યો.

હકીકતમાં જોઈએ તો, નરેન્દ્ર સહિત પાંચ મહાવતનું જૂથ પાલતૂ માદા હાથી જાનકીને દેશભરમાં ફેરવીને દાન દક્ષિણા એકઠી કરતા હતા. મહાવત સહિત હાથીને ખર્ચો પણ આ પૈસામાંથી નીકળતો હતો.

તાજેતરના દિવસોમાં પાંચેય મહાવત ભોપાલના પાડોશી જિલ્લા વિદેશા તરફ રવાના થવાના હતા, પણ મોડી રાતે એક ખેતરમાં હાથીને ઝાડ નીચે બાંધીને સુઈ ગયા હતા. આ દરમ્યાન અચાનક હાથી ગુસ્સો થયો અને સુતેલા મહાવત નરેન્દ્રને પોતાની સુંઢમાં ઉઠાવીને પછાડવા લાગ્યો. બાદમાં ઢસડીને મારી નાખ્યો. ઘટનાસ્થળે જ મહાવતનું મોત થઈ ગયું.

હવે બીજા મહાવતની સૂચના પર પોલીસ આવી અને હાથીને પોતાની કસ્ટડીમાં લઈ લીધો. પોલીસ હાથીને લઈને પોલીસ સ્ટેશનમાં આવી અને પીપળના ઝાડ સાથે બાંધી દીધો.

Scroll to Top