મહારાષ્ટ્ર કોરોના કર્ફ્યુના નવા નિયમ કરવામાં આવ્યા જાહેર, મહારાષ્ટ્રમાં માત્ર આટલા કલાક ખુલશે દુકાનો

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના વધતા સંક્રમણની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયંત્રણો હેઠળ નવો આદેશ જાહેર કર્યો છે. એમવીએ સરકાર દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે, તમામ કરિયાણા, શાકભાજી અને ફળની દુકાનોને માત્ર સવારે 7 થી 11 વાગ્યા સુધી જ ખુલશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, ફળ વિક્રેતાઓ, ડેરીઓ, બેકરીઓ, કન્ફેક્શનરી, તમામ પ્રકારની ખાદ્ય દુકાનો (ચિકન, મટન, મરઘાં, માછલી અને ઇંડા સહિત), કૃષિ ઉપકરણો અને કૃષિ પેદાશોની દુકાનો, પેટ ફૂડ શોપ્સ ખુલશે. તે પણ સવારના 7 થી 11 સુધી વાગ્યા સુધી જ ખુલશે. આ હુકમ એક વ્યક્તિથી એક સંસ્થામાં લાગુ થશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે દુકાનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, તે સવારે 7 થી સાંજના 8 વાગ્યા દરમિયાન હોમ ડિલિવરી કરી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ સમય બદલી શકાય છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સંમતિ બાદ 13 એપ્રિલ, 2021 ના હુકમની કલમ (2) હેઠળ કોઈપણ વધારાની સંસ્થા અને સેવાને જરૂરી શ્રેણીમાં સામેલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં સાત હજાર નવા કેસ સામે આવ્યા હતા, જેમાં 87% કેસ લક્ષણો વગરનાં હતા. જ્યારે થાણેમાં કોરોના વાયરસના 5,007 નવા કેસ નોંધાયા હતા, જેના કારણે જિલ્લામાં રોગચાળાના કુલ કેસ વધીને 4,21,388 થઈ ગયા છે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વાયરસના કારણે 40 વધુ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે જિલ્લામાં મૃતકોની સંખ્યા વધીને 6,982 પહોંચી ગઈ છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પાડોશી પાલઘર જિલ્લામાં કોવિડ-19 ના કેસ વધીને 68,795 થયા છે, જ્યારે મૃત્યુઆંક 1,348 પર પહોંચી ગયો છે.

Scroll to Top