બુરખો પહેરીને આવેલી મહિલાઓએ મૂર્તિમાં કરી તોડફોડ, દુર્ગા પંડાલમાં લગાવી આગ

Advertisement
હૈદરાબાદના ખૈરતાબાદમાં દેવી માતાની મૂર્તિની તોડફોડ કરવામાં આવી છે. મામલો એટલો બગડ્યો કે પંડાલ પણ સળગાવી દેવામાં આવ્યો. નવરાત્રીના પવિત્ર દિવસોમાં બદમાશોએ આ બધું કર્યું છે. જણાવી દઈએ કે સવારે બુરખો પહેરેલી બે મુસ્લિમ મહિલાઓ પંડાલમાં ઘુસી હતી અને તોડફોડ કરી હતી.
પોલીસે મામલાની માહિતી આપી હતી
જણાવી દઈએ કે હૈદરાબાદના સેન્ટ્રલ ઝોનના ડીસીપી રાજેશે જણાવ્યું કે આજે સવારે બે મુસ્લિમ મહિલાઓ ખૈરતાબાદ સ્થિત પંડાલમાં ઘૂસી ગઈ અને દેવી દુર્ગા માતાની મૂર્તિના એક ભાગમાં તોડફોડ કરી.
સ્થાનિક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ
એક મહિલા પણ સ્પૅનર (પાના) લઈને જતી જોવા મળી હતી અને તેણે રોકવાનો પ્રયાસ કરતા સ્થાનિક વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ બંનેને પકડીને સૈદાબાદ પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે કહ્યું કે અમે તેમની વિગતો ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ ખૂબ જ વિચિત્ર વર્તન કરી રહ્યા છે. તપાસ ચાલુ છે.
બુરખામાં 2 મહિલાઓ
પ્રાપ્ત માહિતી અનુસાર, મા દુર્ગાની પૂજા માટે પંડાલ લગાવવામાં આવ્યો હતો. અચાનક કાળા બુરખા પહેરેલી બે મુસ્લિમ મહિલાઓ પ્રવેશી અને મૂર્તિની તોડફોડ કરવા લાગી. તે પછી તેઓએ પ્રતિમાના ઘણા ભાગો તોડી નાખ્યા હતા, જોકે આ પછી લોકોએ મહિલાઓને પકડીને પોલીસને હવાલે કરી દીધી હતી.
Advertisement
