Madhya Pradesh

સાસુ એ વહુ પાસેથી મોબાઈલ છીનવી લીધો તો વહુએ દીકરીઓ સાથે એવું પગલું ભર્યું કે આખો પરિવાર વિખાઈ ગયો

મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં એક 33 વર્ષીય મહિલાએ સાસુ સાથે મોબાઇલ ને લઈને નાના વિવાદને કારણે કથિત રીતે તેની બે પુત્રીઓને કૂવામાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હતી. કૂવામાંથી રેસ્ક્યૂ કરવામાં આવેલી બે પુત્રીઓમાંથી એકનું મોત નીપજ્યું હતું. મોત પાછળનું કારણ સાસુ સાથે ઝઘડો હોવાનું કહેવાય છે. સાસુએ વહુનો મોબાઇલ છીનવી લીધો હોવાને લીધે આવું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

છતરપુર સબ ડિવિઝનલ ઓફિસર પોલીસ (એસડીઓપી) શશાંક જૈને સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે છતરપુરથી 20 કિલોમીટર દૂર સતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના પરવા ગામમાં બની હતી.

તેમણે કહ્યું કે રાની યાદવે તેમની બે પુત્રીઓને કૂવામાં ફેંકી દીધી હતી અને બાદમાં કૂવામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે કહ્યું કે આ ઘટનામાં એક 10 વર્ષની પુત્રીનું પણ મોત થયું હતું જ્યારે તેને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી, જ્યારે કૂવાની ઇંટમાં ફસાઈ જવા ને કારણે ચાર વર્ષની પુત્રી બચી ગઈ હતી. જૈને જણાવ્યું હતું કે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ ઘટના પાછળ રાણી યાદવને મોબાઇલ ને લઈને સાસુ સાથે વિવાદ થયો હોવાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે રાનીની સાસુએ શનિવારે તેનો મોબાઇલ છીનવી લીધો હતો. તે આ વાતથી ગુસ્સે થઈ ગઈ હતી. આ મામલે વિસ્તૃત તપાસ ચાલી રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker