G-7 સંમેલનમાં ભેગા થયેલા દેશના વડાઓને પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યો આ મંત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સંમેલનના આઉટરીચ સેશનને શનિવાર રાત્રીના સંબોધિત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-7 દેશોને ‘વન અર્થ-વન હેલ્થ’નો મંત્ર પણ આપ્યો હતો. જેનું જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલ દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મોદી સાથે ચર્ચા પણ કરી હતી.

તેમણે ટ્રેડ-રિલેટેડ આસ્પેક્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ એગ્રીમેન્ટ વિશે વાતચીત કરતા ભારત પ્રત્યે પોતાનું સમર્થન દાખવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ કહ્યું હતું કે, વેક્સિન માટે આવશ્યક કાચા માલસામાનની સપ્લાઈ કોઈ પણ અવરોધ વગર મળવી જોઈએ. જેનાથી ભારત જેવા દેશ કોઈ પણ અવરોધ વગર વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી શકે.

G7 દેશના નોતાઓએ શનિવારના ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક પ્લાન પણ તૈયાર કરી રાખવામાં આવ્યો છે. આ પ્લાન ચીનના વન બેલ્ડ વન રોડ પ્રોજેક્ટ વિરૂદ્ધ બનાવવામાં આવ્યો છે. તેનું આગેવાની અમેરિકા કરશે. G7 નેતાઓની મુલાકાતમાં US ના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસ દ્વારા નરેન્દ્ર મોદીને તેમા સામેલ કરવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમ છતાં દેશમાં કોરોનાના વધતા જતા કેસના પરિણામે નરેન્દ્ર મોદીએ બ્રિટન પ્રવાસને રદ કર્યો હતો. તેમણે શનિવારના અને 13 જૂનના રોજ વર્ચ્યુઅલ રીતે તેમાં ભાગ લીધો હતો.

Scroll to Top