પાટીદાર અને કોંગ્રેસના નેતા ફરી એક વાર મેદાનમાં આવ્યા છે.અને ફરી એક વાર મહા આંદોલન કરવાના મુડમાં છે.કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ આજે રાજકોટનાં પ્રવાસે આવ્યા છે, ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજ્યમાં જ્યા કમોસમી વરસાદે ખેડૂતોને રડવા મજબૂર કરી દીધા છે ત્યારે સરકાર શું પગલા લઇ રહી છે અને તેઓ આગળ શું કરવાના છે તેને લઇને આજે હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ખેડૂતોને ટેકાના ભાવ નહી મળે તો તે ખેડૂતો સાથે હાર્દિક પટેલ આંદોલન કરશે.અને ખેડૂતો ને આપવશે ન્યાય.
હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને ખેડૂતોની સંવેદના વ્યક્ત કરીને લખ્યું છે કે, “ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં કામ નથી કરે તો ખેડૂત સરકાર સામે બોલશે અને લડશે.” હાર્દિકે સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપીને કહ્યું કે, “સરકાર પાસે 7 દિવસનો સમય છે, ખેડૂતોની સમસ્યાનું સમાધાન નહીં કરાય તો જન આંદોલનનો સામનો કરવો પડશે.” પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એકવાર અલ્પેશે આંદોલનની ચીમકી સરકાર સામે ઉચ્ચારી છે.
હાર્દિક પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ગુજરાતના ખેડૂતોને 3-3 વાર પાક નુકશાનનો સામનો કરવો પડ્યો છે.સરકાર અને ઈન્સ્યોરન્સ કંપનીની જવાબદારી છે કે, પ્રીમિયર માટે તરત જ રૂપિયા કાપી લેવાય છે, તો પાક વીમો પણ જલ્દી આપે. ખેડૂત સરકાર પાસે જાય તો સરકાર બેંકનું નામ આપે અને બેંક પાસે જાય તો બેંક સરકારનું નામ આપે. આવામાં ખેડૂતો માટે અમે લડીશું. ખેડૂતોની પરિસ્થિતિ સમજવા પ્રયાસ સરકાર કે સરકારમાં બેસેલા મંત્રીઓ નથી કરતા.ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવો જોઈએ.ખેડૂતોનો અવાજ બનવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.અને ખેડૂતોને સંપૂર્ણ સાથ આપવા માટે હું તૈયાર છું અને ખેડૂતો માટે આંદોલન કરવાના મુડમાં છે હાર્દિક પટેલ.
હાર્દિકે કહ્યુ કે, અમે ખેડૂતોની લડાઇને મજબૂત બનાવીશુ. વધુમાં હાર્દિકે કહ્યુ કે, ખેડૂતનાં ઘરે ખબર હોય કે ખેડૂતની શું પરિસ્થિતિ છે, સરકારમાં બેઠેલા લોકોને ખેડૂતોની કોઇ ચિંતા નથી. અમે ખેડૂતોનાં આંખમાંથી પડી રહેલા આસુ લુછવાનુ કામ કરી રહ્યા છીએ. હાર્દિકે વધુમાં કહ્યુ કે, આવનારા દિવસોમાં સરકાર વિરુદ્ધ એક મોટી લડાઇ ખેડૂતોનાં હિત માટે થાય તેવો અમે પ્રયત્ન કરીશું. પત્રકારનાં સવાલ પર હાર્દિકે કહ્યુ કે, ખેડૂત તરીકે તેમનુ કોઇ જ સ્ટેન્ડ નથી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર નહોતો કર્યો.તો ભાજપ સામે પણ આરોપ લગાવ્યો છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા.પરંતુ રાધનપુર બેઠક પર ઉમેદવાર બદલ્યા અને ભાજપ સામે નબળો ઉમેદવાર ઊભા રાખ્યા.ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જેમની અલ્પેશ ઠાકોર સામે હાર થઈ હતી.આમ ભાજપે જે કોંગ્રેસ પાર્ટી ને હરાવવા માટે આ કાવતરું રચ્યું હતું.અને અલ્પેશ ઠાકોને કોંગ્રેસ પાર્ટી તરફથી ઉભો રાખ્યો હતો જેથી તેની જીત થયાં બાદ પક્ષપલતો કરીને તે ભાજપ માં જોડાઈ ગયો હતો.