પીએમ મોદી કાશી માં ઉજવશે જન્મદિવસ, આપશે આ મોટી ભેટ

નરેન્દ્રભાઈ મોદી એ ભારત ના 15 માં પ્રધાનમંત્રી છે જેમને આખું વિશ્વ ઓળખે છે. નરેન્દ્ર મોદી ભારત ના સૌથી લોકપ્રિય નેતા છે. અને ચૂંટણી માં પણ એમની બહુમતી થી જીત થઈ હતી.

આપણે બધા તો જન્મદિવસ મનાવીએ છીએ જ પણ જ્યારે ભારત ના વડાપ્રધાન નો જન્મ હોય તો ભારત ના લોકો માં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને આ વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તારીખ 17 સપ્ટેમ્બરના દિવસે જન્મદિવસ છે.

આ દિવસે તેઓ વારાણસીની મુલાકાત લેશે. બીજી વખત વડાપ્રધાન પદની શપથ લીધા બાદ પીએમ મોદી વારાણસીની બીજી વખત મુલાકાત લેશે અને પહેલા ની જેમ અહીં વારાણસી માં પોતાના કાર્યો વિસે માહિતી આપશે.

અને આ વર્ષે પીએમ નરેન્દ્રભાઈ મોદી મોદી તેમનો 69 મો જન્મદિવસ વારાણસીના લોકોની વચ્ચે મનાવશે. તેમણે ગત વર્ષે તેમનો 68મો જન્મદિવસ વારાણસીની એક સ્કૂલમાં બાળકોની સાથે મનાવ્યો હતો.

પીએમ મોદીના હસ્તક સ્માર્ટ સિટી યોજના હેઠળ કાન્હા ઉપવન અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 63 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ અને શહેરનું પ્રથમ મલ્ટિલેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન કરાવવાની તૈયારી છે. ગત વર્ષે ની જેમ જ આ વર્ષે પણ એ કઈ અલગ કરવા જઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અહીં આવી ને કોઇ સારું કામ કરવા જઈ રહ્યા છે.

વારાણસી અને ચંદૌલી જિલ્લાની સીમા પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સ્મૃતિમાં બની રહેલા સંગ્રહાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની વિશાળ પ્રતિમા સ્થાપવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

અહીં સંગ્રહાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સાથે જોડાયેલી ચીજવસ્તુઓ રાખવામાં આવશે. સંગ્રહાલયમાં વૈદિક ઉદ્યાન, પાર્ક અને તળાવ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને અહીં નરેન્દ્રભાઈ મોદી ના આગમન થી લોકો ભીડ ખૂબ જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top