મ્યુકોરમાઈકોસિસનો વિચિત્ર કેસ: 7 સર્જરી, 42 લાખના ખર્ચ બાદ પણ યુવકનો બચાવ

રાજ્યમાં કોરોનાની લહેર વચ્ચે મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસનો એક વિચિત્ર કેસ જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકને કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ થતાં આણંદમાં સાત જેટલી સર્જરી કરાવ્યા બાદ જીવ બચ્યો છે. પરંતુ તેમના મગજનો આગળનો ભાગ કાઢી નાંખવામાં આવ્યો છે. જ્યાં ટાઈટેનિયમની પ્લેટ ફીટ કરાશે. તેની સાથે યુવક પર કરવામાં આવેલ સર્જરી વિશ્વમાં ત્રીજી અને ભારતમાં પ્રથમ છે.

જ્યારે રાજકોટના અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલ દોશી પરિવાર કોરોના અને મ્યુકોરમાઈકોસિસના કારણે આર્થિકતંગી સામનો કરવો પડ્યો છે. સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ચુક્યો હતો. મધ્યમ વર્ગીય પરિવારનો યુવાન એવા બિમલભાઈ ખાનગી ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. કોરોના થવાની સાથે જ તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. તે 40-45 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા.

તેમ છતાં બિમલભાઈ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ તેમને મ્યુકોરમાઈકોસિસનું ઈન્ફેક્શન લાગી ગયું હતું. છેલ્લા સાત મહિનાથી તેઓ આ બીમારી સામે મકક્મ મનોબળથી સામનો કરી રહયા હતા. બિમલભાઈ પર એક પછી એક સાત સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધી દોશી પરિવાર દ્વારા 41.75 લાખનો ખર્ચ કરાઈ ચુક્યો છે. જ્યારે હજી પણ તેમની સારવારમાં 10-12 લાખનો ખર્ચ કરવો પડે તેવું પરિવાર દ્વારા જાણવા મળ્યું છે . આણંદની ઝાયડસ હોસ્પિટલના ડો. સંદીપ માવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, બિમલ દોશીને દિવાળી દરમિયાન કોરોના થયો હતો. કોરોનાની સારવાર લીધા બાદ તે મ્યુકોરમાઈકોસિસની ઝપેટમાં આવ્યા હતા.

તેની સાથે તેમને કહ્યું છે કે, તેમણે 7 થી 8 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી છે. આ ટ્રીટમેન્ટ બાદ તેઓ મારી પાસે શરીરના દુ:ખાવાને લઈને સારવાર માટે આવ્યા હતા. સીટી સ્કેન અને MRI કરતા જાણવા મળ્યું કે મ્યુકોરમાઈકોસિસ તેમના માથામાં ફેલાયેલો છે. તેના કારણે ઓક્સુમાલિટીસ થઈ ગયો છે. ઓક્સુમાલિટીસ એ મ્યુકોરમાઈકોસિસ પછી રેર કેસમાં થતો હોય છે. આ વર્લ્ડ લિટરેચરમાં ત્રીજો કેસ છે અને ભારતમાં લિટરેચરમાં હજુ સુધી પોસ્ટ મ્યુકોરમાઈકોસિસ ફ્રન્ટલ ઓક્સુમાલિટીસનો કોઈ કેસ સામે આવ્યો નથી.

તેમ છતાં આ બીમારીના કારણે બિમલભાઈનો માથાનો આગળનો ભાગ કાઢી નાખવા આવ્યો અને મગજ અને નાક વચ્ચે સક્રલબેઝ રહે છે તેને પણ કાઢીને રેઈનફોર્સ કરાયો હતો. ત્યાર બાદ તેમને ઈન્જેક્શન લાઈપોઝોમલ એમ્ફોટેરિસીન-બી પર રાખવામાં આવ્યા છે. તેમની ક્લિનિકલ કન્ડીશન સ્ટેબલ રહેલી છે. તેમને હજી પણ ચાર સર્જરીની જરૂર છે. જેના ઈએનટી લીબ્રાઈમેન્ટ છે, બાકી જે સ્કલબોન કાઢવામાં આવ્યા છે તે ભવિષ્યમાં ટાઈટેનિયમ ઈન્પલાન્ટથી રિપ્લેસ કરાશે.

Scroll to Top