પહેલાના જમાનામાં એવા ઘણા લોકો હોવા જોઈએ જેમને સો વર્ષ જીવવાની અવસર પ્રાપ્ત થયો છે. પ્રાચીન સમયમાં જેટલા પણ ઋષિ-મુનિઓ હતા તેમની ઉંમર અવશ્ય 100 વર્ષથી વધુ જ રહી હશે.
નિયમિત અને સંયમિત જીવન
આનું એક કારણ તેમનું નિયમિત અને સંયમિત જીવન અને સારો ખોરાક હતો. પરંતુ એક બીજી બાબત હતી જેના ઘણા ઓછા લોકોનું ધ્યાન છે અને તે છે તેમની એવી જીવનશૈલી જે સંપૂર્ણ રીતે ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
ભીષ્મ પિતામહ
આ લેખ દ્વારા અમે તમને કેટલાક એવા કાર્યોના વિશે જણાવીશું જે પોતે ભીષ્મ પિતામહને યુધિષ્ઠિરને કહ્યું હતું. આ કાર્યો કેટલાક એવા છે જે મનુષ્યના જીવન કાળમાં વધારો કરે છે.
દીર્ઘાયુષ્ય
ભીષ્મ પિતામહ દ્વારા ઉલ્લેખિત આ કાર્યો થોડા એવા છે કે જે તે નિર્ધારિત કરે છે કે વ્યક્તિ દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરશે કે તેનો અંત ટૂંક સમયમાં નિશ્ચિત છે.
સૂર્ય જોવો
ભીષ્મ પિતામહના અનુસાર મનુષ્યને નાતો અસ્ત થતા સૂર્યને જોવો જોઈએ અને નાતો સૂર્યને ઉગતો જોવો જોઈએ. આ સિવાય ગ્રહણ દરમિયાન અથવા દિવસના કોઈપણ સમયે સૂર્ય તરફ જોવાથી પણ આયુષ્ય છીનવાઈ જાય છે.
વાળ માવજત
ભીષ્મ પિતામહ કહેતા હતા કે વાળ માવજત કરવા, આંખોમાં કાજલ લગાવવું અથવા નહાવા અથવા મોં-હાથ ધોવા આ બધા કાર્યો 9 વાગ્યા પહેલા કરવા જોઈએ. જે લોકો આ પછી આ બધા કાર્યો કરે છે તે જલ્દીથી કાળનો શિકાર બની જાય છે.
અપવિત્ર માનવ સ્પર્શ
એવા લોકો જે અપવિત્ર મનુષ્ય અથવા વસ્તુઓને સ્પર્શે છે એવા લોકો જલ્દી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષો માસિક સ્ત્રાવની પત્નીને શારીરિક સંબંધ સ્થાપિત કરવા માટે દબાણ કરે છે તેમને યમદૂત પોતાની સાથે લઈ જાય છે.
અપવિત્રતા
ભોજન કર્યા પછી હાથ અને મોં સાફ ન કરે તે વ્યક્તિ અપવિત્ર માનવામાં આવે છે, આવી અપવિત્રતા સ્થિતિમાં મંદિરમાં જવું, પૂજા-પાઠ કરવું, ગાયને અથવા બ્રાહ્મણને સ્પર્શ કરવાવાળો વ્યક્તિ કાળનો શિકાર થાય છે.
સાંજનો સમય
સાંજના સમયે સૂઈ જાય છે, અભ્યાસ કરે છે અને ભોજન કરે છે, શ્રાદ્ધ અથવા સ્નાન કરવાવાળા. ભોજન કર્યા પછી વાળ માવજત કરે છે, રાતના સમયે વિચાર્યા વગર ભોજન લે છે અને પપક્ષીઓ સાથે દુર્વ્યવહાર કરવાવાળો વ્યક્તિને અવશ્ય મૃત્યુનો શિકાર થવું પડે છે.
જ્યાં સન્માન ન હોય.
જે સ્થાન પર માન-સન્માન ન થતું હોય, જ્યાં જવાનું આમંત્રણ ન હોય ત્યાં ક્યારેય ન જવું જોઈએ. બોલાવ્યા વિના ક્યાંક જવાથી ઉંમરનો નાશ થાય છે. ફક્ત યજ્ઞમાં જોડાવવા માટે આમંત્રણની આવશ્યકતા જરૂર નથી.
શ્રાદ્ધનું ભોજન કરવું.
દુશ્મનના શ્રાધ્ધમાં ભોજન કરવાવાળા વ્યક્તિનો અંત જલ્દીથી થાય છે. જે લોકો વડીલોનું સન્માન નથી કરતા, પરિવારના વડીલોનું સન્માન કરતા નથી તે લોકો કદી ખુશ નથી રહેતા.
એક જ થાળીમાં ભોજન.
એવા લોકો જે બીજા વ્યક્તિની સાથે એક જ થાળીમાં ભોજન કરે છે. તેમના ગુરુની સામે દલીલ અથવા હઠ કરે છે તેવા લોકોને કોઈ દિવસ સુખી જીવન નથી મળતું. ગુરુની નિંદાથી કરવાથી ઉંમર ઓછી થાય છે.
માથાનું તેલ.
માથા પર તેલ માલિશ કર્યા પછી તે તેલને શરીરના કોઈ અન્ય ભાગ ઉપર લગાવવું જોઈએ નહીં. આવું કરવાથી ઉંમર ઓછી થાય છે.
આકાશ તરફ જોવું
અપવિત્ર સ્થિતિમાં આકાશ તરફ જોવું, સૂર્ય, ચંદ્ર, અથવા અન્ય કોઈ નક્ષત્રને જોવાવાળો વ્યક્તિને જલ્દી મૃત્યુ પ્રાપ્ત થાય છે.
ગર્ભવતી સ્ત્રીની સાથે સંભોગ
ગર્ભવતી સ્ત્રીની સાથે સંભોગ કરવા વાળો વ્યક્તિ પાપી કહેવામાં આવે છે. જલ્દીજ યમદૂત તેને પોતાની સાથે લઈ જાય છે.